દેશમાં વધી રહેલા કોરોના કેસની વચ્ચે આજે પ્રધાનમંત્રી મોદી એક હાઈ લેવલ મીટિંગ બોલાવીને અધિકારીઓને જરુરી નિર્દેશ આપ્યાં હતા
દેશમાં કોરોનાના કેસ વધ્યાં
કોરોનાની સમીક્ષા બેઠક બોલાવી પીએમ મોદીએ
ટેસ્ટ-ટ્રેકિંગ અને માસ્ક પર ભાર મૂક્યો
વરિષ્ઠ નાગરિકો અને બીમાર લોકો ભીડમાં માસ્કનો ઉપયોગ કરે
પીએમ મોદીએ આજે દેશમાં કોવિડ -19 અને ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં પીએમ મોદીએ અધિકારીઓને પૉઝિટીવ કેસોના જિનોમ સિક્વન્સિંગ વધારવાની સૂચના આપી છે. નવો વેરિયેન્ટ હોય તો તેને ટ્રેક કરી શકાય છે. તેમણે કોવિડને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરવાનો આગ્રહ કર્યો છે. દર્દીઓ, આરોગ્ય વ્યાવસાયિકો અને આરોગ્ય કર્મચારીઓએ પણ હોસ્પિટલમાં માસ્ક પહેરવું જોઈએ. તેમણે સલાહ આપી હતી કે વરિષ્ઠ નાગરિકો અને બીમાર લોકોએ ભીડમાં માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. પીએમએ ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોવિડ નિયમોના પાલન પર ભાર મૂક્યો છે.
PM Modi advises precaution, maintenance of vigil amid rise in Covid-19 cases
કોવિડ-19 રોગચાળો હજી પૂરો થયો નથી
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોવિડ-19 રોગચાળો હજી પૂરો થયો નથી અને દેશભરમાં તેની સ્થિતિ પર નિયમિત પણે નજર રાખવાની જરૂર છે. લેબોરેટરીઓ પર નજર રાખવી જોઈએ, પરીક્ષણો વધારવા જોઈએ. આપણી હોસ્પિટલો કટોકટી માટે તૈયાર છે તે જાણવા માટે મોકડ્રીલ નિયમિતપણે હાથ ધરવી જોઈએ. હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતા પર નજર રાખવી જોઈએ, આ સાથે જરૂરી દવાઓ વગેરેમાં કોઈ કમી ન હોવી જોઈએ.
PM Modi calls for enhancing lab surveillance, testing of all severe acute respiratory illness (SARI) cases and ramping up genome sequencing
XBB 1.16 ફેફસાંને નુકસાન નહીં પહોંચાડે
દેશભરમાં ભલે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ સારા સમાચાર એ છે કે કોરોનાનો આ નવો વેરિએન્ટ લોકોના ફેફસાને નુકસાન પહોંચાડી રહ્યો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, XBB 1.16 કોરોનાનો નવો વેરિએન્ટ છે, ભારતમાં તેના કેસ ઝડપથી વધી શકે છે. દેશમાં કોવિડ 19 વિરુદ્ધ વેક્સીન અભિયાન ઝડપથી ચાલુ છે.દેશમાં 220.64 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. 95.19 લોકોએ કોવિડ રસીના બંને ડોઝ લીધા છે.
છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 1134 કેસ
ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 1134 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,98,118 થઈ ગઈ છે. ત્યારે ભારતમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 7026 થઈ ગઈ છે. આજે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે એક-એક દર્દીના મોત બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 5,30,813 થઈ ગયો છે. મંત્રાલય દ્વારા આપવામાં આવેલ નવીનતમ માહિતી અનુસાર, ભારતમાં ચેપનો દૈનિક દર 1.09 ટકા છે અને સાપ્તાહિક દર 0.98 ટકા છે.