બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:19 PM, 11 June 2024
રોડ પર થતાં એક્સિડન્ટને અટકાવવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભરતાં વાહનો માટે વીમો અનિવાર્ય બનાવી દીધો છે. આ નિયમ બાદ વાહનનો વીમો ન લેવો હવે સજાપાત્ર ગુનો છે અને તેને માટે તમે જેલ પણ જઈ શકો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, માન્ય મોટર થર્ડ પાર્ટી વીમા વિના મોટર વાહન ચલાવવું એ સજાપાત્ર ગુનો છે. મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 146 મુજબ, ભારતીય રસ્તાઓ પર ચાલતા તમામ વાહનોએ થર્ડ પાર્ટી વીમો લેવો ફરજિયાત છે તેની મદદથી, અકસ્માતો અને નુકસાનના કિસ્સામાં પીડિતોને સહાય પૂરી પાડી શકાય છે.
ADVERTISEMENT
વીમા વગર વાહન ચલાવતાં પકડાયાં તો કેટલી સજા
વીમા વગર વાહન ચલાવતાં પકડાવા પર પહેલીવાર ગુનામાં 3 મહિના સુધીની જેલ અને 2000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો બીજી વખત દોષી સાબિત થાય તો 3 મહિના સુધીની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : 'સોશિયલ મીડિયામાંથી હવે 'મોદી કા પરિવાર' હટાવી શકો છો', PM મોદીએ કેમ કરી અપીલ?
કારની વીમા પોલિસી રિન્યૂ કરાવી લેજો
વાહન વીમાનો નિયમ ફરજિયાત થયો હોવાથી હવે તમારે તમારી કારનો વીમો રિન્યુ કરાવી લેવો જોઈએ અન્યથા સજા ભોગવવાનો વારો આવી શકે છે. વીમા સાથે વાહન ચલાવવું ઘણું સારુ પણ છે કારણ કે એક્સિડન્ટના કિસ્સામાં જરુરી સહાય મળી રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.