લોકોને જુલમથી બચાવવા માટે ન્યાયતંત્રને અપીલ કરતા, મુખ્યમંત્રીએ દાવો કર્યો કે સમાજના ચોક્કસ વર્ગ દ્વારા તમામ લોકશાહી સત્તા જપ્ત કરવામાં આવી છે.
કૃપા કરીને લોકશાહી બચાવો: મમતા બેનર્જી
CM મમતા બેનર્જીએ ભારતના મુખ્ય ન્યાયાધીશને કરી અપીલ
NUJS ના દીક્ષાંત સમારોહમાં આપી હાજરી
દેશમાં લોકતાંત્રિક સંસ્થાઓને કચડી નાંખવામાં આવી હોવાનો વારંવાર દાવો કરનાર પશ્ચમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે ફરી એકવાર આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સાથે ચેતવણી આપી છે કે આ સિલસિલો ચાલુ રહેશે તો દેશ રાષ્ટ્રપતિ શાસન તરફ આગળ વધશે. તેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ(CJI) ને લોકશાહી અને સંઘીય માળખાની સુરક્ષા સુનિશ્રિત કરવા વિનંતી કરી.
હકીકતમાં CJI UU લલિતે આજે કોલકાતામાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. તેઓ યુનિવર્સિટીના ચાન્સેલર છે. આ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે સીએમ બેનર્જીએ આ વાત કહી.
ન્યાયતંત્રના બચાવવા CJI ને અપીલ
લોકોને જુલમથી બચાવવા માટે ન્યાયતંત્રને અપીલ કરતા. મુખ્યમંત્રીએ દાવો કર્યો કે સમાજના ચોક્કસ વર્ગ દ્વારા તમામ લોકશાહી સત્તા જપ્ત કરવામાં આવી છે. દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ રહેલા બેનજીએ CJI ને કહ્યું કે, "ક્યાં છે લોકશાહી? મહેરબાની કરીને લોકશાહી બચાવો"
મીડિયા પર કટાક્ષ કરતા બંગાળના મુખ્યમંત્રી
મીડિયાના પક્ષપાતી હોવા પર કટાક્ષ કરતા બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું, "શું તેઓ કોઈનો પણ દુરુપયોગ કરી શકે છે? શું તેઓ કોઈને દોષી ઠેરવી શકે છે? સાહેબ, અમારી પ્રતિષ્ઠા અમારી ઈજ્જત છે. ઈજ્જત લૂંટી લીધી, તો બધું લૂંટી લીધું." તેમણે વધુમાં કહ્યું કે ચુકાદો આવતા પહેલા જ ઘણી બાબતો ચાલી રહી હતી. મમતા બેનર્જીએ કહ્યું, "હું આ કહેતા દિલગીર છું. જો તમને લાગે કે હું ખોટો છું, તો હું માફી માંગુ છું,"