અમદાવાદ ટેસ્ટના ચોથા દિવસે કોહલીએ સદી ફટકારી હતી પરંતુ તે બીમારીની વચ્ચે પણ રમ્યો હોવાનું જાહેર થયું છે.
અમદાવાદ ટેસ્ટના ચોથા દિવસે કોહલીએ ફટકારી સદી
કોહલી બીમારીમાં સદી ફટકારી
તેની અનુષ્કા શર્માએ જાહેર કર્યું
ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી અમદાવાદ ટેસ્ટમાં ફરી એકવાર વિન્ટેજ લુક જોવા મળ્યો છે. તેણે પોતાના જૂના દિવસોની જેમ કાંગારુઓ સામે જબરદસ્ત સદી ફટકારી છે. આ સમયે તેની સદીની ચર્ચા સમગ્ર ક્રિકેટ જગતમાં થઈ રહી છે.
અમદાવાદ ટેસ્ટમાં સદી ફટકારવા બદલ ચારે તરફ વખાણની વચ્ચે તેની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પણ સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરીને વિરાટના વખાણ કર્યા છે. તેણે એક મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે કોહલી બીમારીમાં રમી રહ્યો છે.
અમદાવાદમાં સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી બીમાર
અનુષ્કા શર્માએ ખુલાસો કર્યો છે કે, અમદાવાદમાં સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી બીમાર છે. તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિરાટ કોહલીની સદીનો એક વીડિયો શેર કર્યો છે અને તેના પર લખ્યું છે, 'બીમારીમાં પણ આ ધૈર્ય સાથે રમવું, મને હંમેશા પ્રેરણા આપે છે.
3 વર્ષ બાદ કોહલીએ ફટકારી ટેસ્ટ સદી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ આ ટેસ્ટ સીરિઝમાં 2-1થી આગળ છે. આ અંતિમ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ 241 બોલમાં સદી ફટકારી છે. લગભગ 3 વર્ષ પછી વિરાટ કોહલીએ ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. વિરાટ કોહલી અગાઉ 15 ઈનિંગમાં અડધી સદી પણ ફટકારી શક્યા નહોતા.