IPL 2022નાં પ્લે ઓફના નિયમોમાં વરસાદને કારણે અમુક ફેરફારો કરવામાં આવ્યા છે. જાણો નવા નિયમો
IPL 2022માં ફર્સ્ટ ક્વોલિફાયર 24 મેનાં રોજ રમવામાં આવશે
વરસાદને કારણે નિયમોમાં કરવામાં આવ્યા ફેરફાર
હવે સુપર ઓવરથી પણ આવી લઇ શકાશે નિર્ણય
IPL 2022માં ફર્સ્ટ ક્વોલિફાયર 24 મેનાં રોજ રમવામાં આવશે
IPL 2022ની લીગ મેચો સમાપ્ત થઇ ચુકી છે. હવે પ્લે ઓફની ચાર ટીમ નક્કી છે. આ સાથે જ હવે ક્વોલિફાયર અને એલિમીનેટરની તૈયારીઓ પણ શરુ થઇ ગઈ છે. પહેલી ક્વોલિફાયર 24 મેનાં રોજ કોલકાતાનાં ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવશે. આમાં પોઈન્ટ ટેબલમાં નંબર વન ટીમ ગુજરાત ટાઈટન્સ અને બીજા નંબરની ટીમ રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમવામાં આવશે. જો કે, આ પહેલા કોલકાતાનું વાતાવરણ બગડ્યું હતું અને ત્યાં મૂશળધાર વરસાદ પડ્યો હતો. આ વચ્ચે અનુમાન છે કે આવનાર થોડા દિવસોમાં વરસાદ થઇ શકે છે. આ ધ્યાનમાં રાખતા બીસીસીઆઈએ પ્લે ઓફનાં મુકાબલાઓને લઈને નિયમોમાં અમુક ફેરફાર કર્યા છે.
પ્લેઑફ માટેના નિયમો
મેચ નહીં થઈ શકે તો સુપરઓવરથી ફેંસલો
બંને ટીમ વચ્ચે 6-6 બોલની મેચ
સુપરઓવર પણ નહીં થઈ શકે તો લીગમાં ટોપવાળી ટીમ વિજેતા
પ્લેઑફ મેચ મોડામાં મોડા 9.40 સુધી શરૂ થઈ શકશે
ફાઇનલ મેચ મોડામાં મોડા 10.10 વાગે શરૂ થઈ શકશે
પહેલી ઈનિંગ પૂરી અને બીજી ન થઈ શકે તો ડકબર્થ લુઈસના આધારે ફેંસલો
વરસાદને કારણે નિયમોમાં કરવામાં આવ્યા ફેરફાર
આઈપીએલ તરફથી કહેવામાં આવ્યું છે કે જો વાતાવરણને કારણે પ્લે ઓફની મેચ પૂરી નથી થઈ શકતી, તો મેચનું પરિણામ સુપર ઓવરથી પણ કાઢી શકાશે. જો સુપર ઓવર પણ થઇ શકે તેમ નથી, તો IPL 2022માં પોઈન્ટ ટેબલમાં જે ટીમ સૌથી વધારે મેચ જીતી છે અને ટોપ પર છે, તેને વિજેતા ઘોષિત કરવામાં આવશે. અમ તો IPLની બધી લીગ મેચ સાડા સાત વાગ્યે શરુ થાય છે અને સાત વાગ્યે ટોસ થાય છે. પ્લે ઓફનાં મુકાબલાઓ માટે પણ આ જ શેડ્યુલ છે, પણ જો વરસાદને કારણે વાતાવરણ બગડે છે, તો 9:40 સુધીમાં પણ મેચ શરુ કરી શકાય છે. ત્યાર બાદ મેચ રમવામાં આવશે નહીં અને સુપર ઓવરથી મેચનું પરિણામ કાઢવાની કોશિશ કરવામાં આવશે.
હવે સુપર ઓવરથી પણ આવી લઇ શકાશે નિર્ણય
IPL 2022ની ફાઈનલ મેચ 29 મેના રોજ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ મેચ રાત્રે આઠ વાગ્યાથી શરુ થશે. આ પહેલા સાડા સાત વાગ્યે ટોસ થશે. બીસીસીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે આ વર્ષે આઈપીએલનાં ફાઈનલ પહેલા સમાપન સમારોહ પણ આયોજિત કરવામાં આવશે. એટલા માટે મેચ મોડી શરુ થશે. ફાઈનલ મેચમાં પણ જો વરસાદ આવ્યો, તો મેચ વધારેમાં વધારે 10:10 વાગ્યા સુધી શરુ થઇ શકશે. ત્યાર બાદ ઓછી ઓવરની મેચ રમવામાં આવશે. આ સાથે જ આઈપીએલ તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે જો 29 મેનાં રોજ ફાઈનલ ન થઇ શકે, તો તેના માટે રીઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે, એટલે કે મેચ પછીના દિવસે 30 મેનાં રોજ રમી શકાય છે. એમ પણ શક્ય છે કે મેચ 29 મેનાં રોજ જ શરુ થઇ જાય અને વચ્ચે વરસાદ આવી જાય, તો જ્યાંથી મેચ પહેલા દિવસે પૂરી થઇ હતી, ત્યાંથી જ પછીના દિવસે મેચ રમવામાં આવશે. જો એક ઇનિંગ 29 મેચનાં રોજ જ પૂરી થાય છે અને બીજી ઇનિંગ પૂરી નથી થઇ શકતી, તો મેચનું પરિણામ ડકબર્થ લુઇસ પ્રણાલીથી કાઢવામાં આવશે. વરસાદનાં કારણે મેચ મોડી શરુ થશે, તો શક્ય છે કે મેચ 12 વાગ્યા સુધી ચાલી શકે છે.