ટફોર્મ ટિકિટ કેટલા સમય માટે માન્ય છે? એકવાર આ ટિકિટ ખરીદ્યા પછી શું કોઈ આખો દિવસ પ્લેટફોર્મ પર રહી શકે છે? આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આ પ્લેટફોર્મ ટિકિટ કેટલા સમય માટે માન્ય છે?
પ્લેટફોર્મ ટિકિટ ખરીદ્યા પછી શું કોઈ આખો દિવસ પ્લેટફોર્મ પર રહી શકે છે?
દરરોજ લાખો લોકો રેલવે દ્વારા મુસાફરી કરે છે. ભારતીય રેલ્વેના નિયમો મુજબ પ્લેટફોર્મ પર ફક્ત એ જ મુસાફરો જઈ શકે છે જેની પાસે માન્ય ટિકિટ હોય છે પણ ઘણી વખત એવું જોવા મળે છે કે આવા લોકો પણ પ્લેટફોર્મ પર ફરતા હોય છે જેમને મુસાફરી ન કરવાની હોય આવી સ્થિતિમાં સ્ટેશન પરથી વધારાની ભીડ ઘટાડવા માટે રેલવેએ પ્લેટફોર્મ ટિકિટનો નિયમ બનાવ્યો છે. જો કોઈ વ્યક્તિ તેના સંબંધીને સ્ટેશન પર મૂકવા આવી હોય તો આવા લોકોએ પ્લેટફોર્મ પર પહોંચવા માટે રેલવે પ્લેટફોર્મ ટિકિટ ખરીદવી પડે છે.
એવામાં જો તમે ટ્રાવેલ ટિકિટ કે રેલવે પ્લેટફોર્મ ટિકિટ વગર પ્લેટફોર્મ પર પકડાઈ જાઓ તો તમને દંડ થઈ શકે છે. પણ શું તમે જાણો છો કે આ પ્લેટફોર્મ ટિકિટ કેટલા સમય માટે માન્ય છે? એકવાર આ ટિકિટ ખરીદ્યા પછી શું કોઈ આખો દિવસ પ્લેટફોર્મ પર રહી શકે છે? આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
પ્લેટફોર્મ ટિકિટની માન્યતા
રેલવેની વેબસાઈટ erail.in અનુસાર કોઈ પણ વ્યક્તિ પ્લેટફોર્મ ટિકિટ લઈને આખો દિવસ પ્લેટફોર્મ પર ન રહી શકે. પ્લેટફોર્મ ટિકિટની વેલિડિટી માત્ર બે કલાકની છે. એટલે કે એકવાર તમે ટિકિટ ખરીદો પછી તમે તેનો ઉપયોગ ફક્ત બે કલાક માટે જ કરી શકો છો અને બે કલાક વીતી ગયા પછી પણ પ્લેટફોર્મ પર જ રહો છો તો એવી સ્થિતિમાં પકડાઇ જાઓ તો દંડ ભરવો પડી શકે છે.
પ્લેટફોર્મ ટિકિટ ન હોવા પર ભરવો પડે છે દંડ
જો તમે પ્લેટફોર્મ ટિકિટ ખરીદવાનું ભૂલી જાઓ છો, તો રેલવે ટિકિટ ચેકિંગ સ્ટાફ તમારા પર ઓછામાં ઓછો 250 રૂપિયાનો દંડ લગાવી શકે છે. એટલું જ નહીં, ટિકિટ વિના પ્લેટફોર્મ પર પકડાયેલી વ્યક્તિ પાસેથી તે પ્લેટફોર્મથી નીકળેલી અગાઉની ટ્રેન અથવા તે પ્લેટફોર્મ પર પહોંચેલી ટ્રેનનું બમણું ભાડું પણ નાણાકીય દંડ તરીકે વસૂલવામાં આવશે.
પ્લેટફોર્મ ટિકિટો માત્ર મર્યાદિત છે
જણાવી દઈએ કે પ્લેટફોર્મ પર ઉપલબ્ધ જગ્યા અનુસાર પ્લેટફોર્મ ટિકિટ આપવામાં આવે છે. એટલે કે પ્લેટફોર્મની ક્ષમતા કરતાં વધુ પ્લેટફોર્મ ટિકિટ જારી કરવામાં આવતી નથી. જો ક્ષમતા અનુસાર પ્લેટફોર્મ ટિકિટ પહેલાથી જ આપવામાં આવી હોય, તો પછી રેલવે સ્ટાફ પ્લેટફોર્મ ટિકિટ માંગનાર વ્યક્તિને ટિકિટ આપવાની ના પણ કહી શકે છે.