ભારતીય રેલ્વે વિભાગે હવે કોરોનાના કેસો ઘટતા એક મોટા રાહતના સમાચાર આપ્યા છે. જેને લઈને રેલ્વે મુસાફરો અને અને રેલ્વે સ્ટેશને આવતા લોકોને રાહત મળશે.
રેલ્વે વિભાગે આપ્યા રાહતના સમાચાર
પ્લેટફોર્મ ટિકિટના ભાવ ઘટાડી દીધા
10 રૂપિયાની ટિકિટના કર્યા હતા 30 રૂપિયા
કોરોના મહામારી શરૂ થયા બાદ દેશમાં ઘણુ બધું બદલાઈ ગયું છે. વર્ષ 2020માં પહેલી વાર એવું થયું કે, રેલ્વે કામકાજને બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ ધીમે ધીમે અનલોકની પ્રક્રિયા શરૂ થઈ. રેલ્વે સ્ટેશન પર લોકોની ભીડને કંટ્રોલ કરવા માટે રેલ્વે પ્લેટફોર્મ ટિકિટના દરમાં 3 ગણો વધારો કરવામાં આવ્યો હતો. 110 રૂપિયાની પ્લેટફોર્મ ટિકિટના ભાવ 30 રૂપિયા કરી દેવામાં આવ્યા હતા, પણ હવે ઈંડિયન રેલ્વે અમદાવાદ ડિવીઝને આ નિર્ણય કર્યો છે કે પ્લેટફોર્મ ટિકિટ પહેલાની માફક 10 રૂપિયા જ લેવામાં આવશે. દેશના અમુક રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ ટિકિટનો ભાવન 50 રૂપિયા સુધી કરી દેવામા આવ્યો છે.
આ તારીખથી નિયમ લાગૂ કર્યો
આપને જણાવી દઈએ કે, અમદાવાદ ડીઆરએમે આ નિયમ 7 એપ્રિલથી લાગૂ કરી દીધો છે. આ મામલામાં એક નોટિસ પણ જાહેર કરતા કહ્યું છે કે, કોરોનાના વધતા કેસોને જોતા રેલ્વેએ નિર્ણય કર્યો હતો, જેથી 18 જાન્યુઆરી 2022થી પ્લેટફોર્મ ટિકિટના ભાવ 10 રૂપિયામાંથી વધારીને 30 રૂપિયા કરી દેવામાં આવ્યા હતા. જો કે, હવે પાછા તેના 10 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. હવે અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, મહેસાણા, ભૂજ, મણિનગર અને સાબરમતી રેલ્વે સ્ટેશન પર પાછા પ્લેટફોર્મ ટિકિટના ભાવ 10 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.
મધ્ય રેલ્વેએ પણ ઘટાડ્યા ભાવ
આપને જણાવી દઈએ કે, ગત વર્ષે સેન્ટ્રલ રેલ્વેએ પ્લેટફોર્મ ટિકિટના ભાવને ઓછા કરી દીધા હતા. તેને 50 રૂપિયાથી ઘટાડીને 10 રૂપિયા કરી દેવામાં આવ્યા હતા. તેનાથી એલટીટી, થાણે, કલ્યાણ, સીએસએમટી, દાદર અને પનવેલના રેલ્વે સ્ટેશનમાં હવે લોકોને પ્લેટફોર્મ ટિકિટ માટે ફક્ત 10 રૂપિયા જ ચાર્જ આપવો પડે છે.