સૌકોઇ જાણે છે કે પ્રકૃતિએ આપણને કેટલું આપ્યુ છે અને બધી ચીજો આપણા માટે જરૂરી છે. આ જ ક્રમમાં પ્રકૃતિએ આપેલી વસ્તુઓમાં છોડનું સ્થાન સૌથી આગળ છે.
વર્તમાન સમયમાં લોકો જાણે છે કે, છોડ આપણા દૈનિક જીવનમાં કેટલાક અગત્યના છે. જોકે, મનુષ્ય છોડના ઘણા ગુણથી અજાણ પણ છે. સામાન્ય રીતે છોડ અને વૃક્ષના પાનનો ઉપયોગ પૂજા-અર્ચનામાં કરવામાં આવે છે. પરંતુ શુ તમે જાણો છો કે, વાસ્તુશાસ્ત્ર અનુસાર વસ્તુદોષ દૂર કરવામાં પણ ઉપયોગી છે. અહીં કેટલાક એવા છોડ અને વૃક્ષ વિશે જણાવીશુ કે, જેમને ઉગાડવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે અને વાસ્તુદોષ પણ દૂર થશે.
-વાસ્તુ અનુસાર, આસોપાલનને ઘરની આસપાસમાં ઉગાડેલા અન્ય વૃક્ષોનો અશુભ દોષ દૂર થાય છે.
- અશ્વગંધાનો ઔષધી તરીકે ઉપયોગ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની સીમામાં આ છોડ ઉગાડવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને સાથે જ સુખ-સમુદ્ઘિ પ્રાપ્ત થાય છે.
- જે ઘરની સીમામાં નારિયેળીનુ ઝાડ હોય તે શુભદાયી પ્રાપ્ત થાય છે. આ વૃક્ષ ઘરના ગાર્ડનમાં હોય તો ઘર પરિવારના સભ્યોના માન-સન્માન અને ઉન્નિતમાં વૃદ્ઘિ થાય છે.
- દાડમનો છોડ ઘરમાં લગાવવો શુભ હોય છે પરંતુ યાદ રાખો કે અગ્નિ અથવા નૈઋત્ય કોણમાં ન લગાવવું. કેટલાક સ્થાનોએ દાડમનું ઝાડ હોય તો અશુભ પરિણામ આપે છે. જો કે આ નિયમ માત્ર બિનફળદ્રુપ પ્રકારના દાડમ પર લાગુ પડે છે.
- વાસ્તુની દ્રષ્ટિએ વડ મહત્વનું ઝાડ છે. કોઈપણ ઓફિસ કે ઘરની પૂર્વ દિશામાં વડનુ ઝાડ હોય તો અત્યંત શુભ માનવામાં આવે છે. આ સાથે જ ઑફિસ બિલ્ડિંગની પ્રશ્ચિમ દિશામાં આ વૃક્ષ હોવુ અશુભ ગણાય છે.
- વાસ્તુ મુજબ જાંબુની ઝાડ ઘરની દક્ષિણ દિશામાં ઉગાડવુ જોઇએ. માનવામાં આવે છે કે, અન્ય દિશામાં ઉગાડેલુ જાંબુનું ઝાડ મિશ્રફળદાયી છે. જોકે ઘરની ઉત્તર દિશામાં જાબુંનુ ઝાડ હોવુ શુભ નથી. જો આ દિશામાં જાબુંનુ ઝાડ હોય તો તેને કાપવાને બદલે પાસે દાડમ કે આંબાળાનું વૃક્ષ વાવી દેવુ.
- ઘરની આસપાસ બિલિપત્રનુ છાડ હોવુ અત્યંત શુભ છે ધાર્મિક માન્યતા અનુસાર આ વૃક્ષને સંબંધ ભગવાન શંકર સાથે છે. શંકરજીને આ વૃક્ષ ખૂબ જ પ્રિય છે. વૃક્ષાયુર્વેદમાં કહેવાયું છે કે, यस्तु संरोपयेद्विल्वं, शंकरं प्रीतिकारकम्।तत्कुलेपि सदा लक्ष्मीः संतिष्टेत पुत्रपौत्रिकी।। મતલબ કે, જે ઘરમાં શિવજીને પ્રિય બિલિપત્રનું વૃક્ષ ત્યાં ધનની દેવી મા લક્ષ્મી પેઢીઓ સુધી નિવાસ કરે છે.