વાસ્તુ શાસ્ત્ર અનુસાર અમુક છોડ ખૂબ જ શુભ હોય છે. માનવામાં આવે છે કે આ છોડ લગાવવાથી ઘરમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ થાય છે.
ઘરમાં લગાવો આ 5 છોડ
માતા લક્ષ્મીનો ઘરમાં થશે વાસ
ઘરમાં સુખ-સમૃદ્ધિ વધશે
છોડ વાસ્તુ શાસ્ત્રની દષ્ટિએ પણ શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર અમુક છોડ ઘરના વાતાવરણને શુદ્ધ કરવાની સાથે સાથે સકારાત્મક ઉર્જાનું પણ સંચાર કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અમુક છોડને લગાવવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. સાથે જ પરિવારમાં આર્થિક સમૃદ્ધિ પણ થાય છે.
હળદર (Turmeric)
ઘરમાં હળદરનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. આ છોડને લગાવવા માટે પૂર્વ અથવા ઉત્તર-પૂર્વની દિશા શુભ માનવામાં આવે છે. ઘરમાં આ છોડને લઈને નિયમિત પૂજા કરવાથી મનોકામના પૂરી થાય છે.
ક્રાસુલા (Crassula)
ક્રાસુલાને ધનનો છોડ પણ કહેવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ ઘરમાં લગાવવાથી ધન સાથે જોડાયેલી સમસ્યા નથી રહેતી. ક્રાસુલાને ઘરના પ્રવેશ દ્વાર પર અંદરની બાજુ લગાવવો જોઈએ.
તુલસી (Tulsi)
તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તુલસીના છોડને લગાવીને તેની રોજ પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. સાથે જ માતા લક્ષ્મીની પણ ખાસ કૃપા પ્રાપ્ત થાય છે.
શમી (Shami)
શમીના છોડમાં શનિ દેવનો વાસ હોય છે. આજ કારણ છે કે મોટાભાગના ઘરોમાં આ છોડ લગાવવામાં આવે છે. તેને ઘરના મુખ્ય દ્વારની ડાબી અને પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. શમીનો છોડ ઘરમાં લગાવવાથી નોકરી-રોજગાર સંબંધિત પરેશાનીઓ દૂર થાય છે.
વાંસ (Bamboo)
વાંસનો છોડ સુખ-સમૃદ્ધિ માટે સારો માનવામાં આવે છે. નાના આકારના વાંસના છોડને લાલ દોરાથી બાંધીને ઈશાન કોણ અથવા ઉત્તર દિશામાં લગાવવું જોઈએ. વાસ્તુ અનુસાર વાંસનો છોડ લગાવવાથી આર્થિક ઉન્નતિ થાય છે.