ઘર અને ઑફિસમાં પોઝિટીવ ઉર્જા હોય તે જરૂરી છે આથી આપણી આસપાસની નેગેટીવ ઉર્જાને દૂર કરવા માટે ફેંગશૂઇમાં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે
સકારાત્મક ઉર્જા જીવનમાં જરૂરી
ઘર અને ઑફિસમાં મૂકવુ જોઇએ ક્રિસ્ટલ ટ્રી
ક્રિસ્ટલ ટ્રીથી સકારાત્મક ઉર્જાનો થશે સંચાર
પૈસા ભેગા કરવા માટે આપણે મહેનત કરીએ છીએ.જેથી આપણે આપણો ખર્ચો જાતે કાઢી શકીએ. પૈસાની જરુરિયાત આ દુનિયામાં કોને નથી. જીવન જીવવા માટે પૈસા અનિવાર્ય છે. તેવામાં આપણમાંથી ઘણા એવા લોકો છે જેમના પૈસા પણ બચતા નથી. પૈસાની તંગી, ધનહાનિ અને નકામા ખર્ચાને કારણે પૈસા બચતા નથી. જોકે આની પાછળ બીજા ઘણા કારણ હોઇ શકે જેવા કે વાસ્તુદોષ, કુંડલી જોષ અને બીજી ખરાબ આદતો. ત્યારે આવી જ રીતે ફેંગશૂઇ પણ લાભ અપાવે છે.
ફેંગશૂઇમાં પણ છે નકારાત્મક ઉર્જા દૂર કરવાના ઉપાય
વાસ્તુશાસ્ત્રની જેમ ફેંગશૂઇ પણ એક પ્રકારનું વાસ્તુશાસ્ત્ર જ છે. ફેંગશૂઇ પણ સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. ફેંગશુઈમાં પાંચ તત્વો પર આધારિત એવી ઘણી વસ્તુઓ કહેવામાં આવી છે, જેને ઘર, ઓફિસ કે બગીચા વગેરેમાં રાખવાથી વ્યક્તિની આસપાસની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. અને જીવનમાં સારા પરિણામ મળે છે. આજે અમે તમને ક્રિસ્ટલ ટ્રી વગેરે સંબંધી કેટલાક નિયમો જણાવવા જઈ રહ્યા છીએ, જેનું પાલન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
ક્રિસ્ટલ ટ્રી કેવું હોય ?
ફેંગશુઈમાં ઉલ્લેખિત ક્રિસ્ટલ ટ્રીને ઘર કે ઓફિસમાં નિયમિત રાખવાથી વ્યક્તિના જીવનમાં ઘણા ફેરફારો જોવા મળે છે. ક્રિસ્ટલ વૃક્ષ વિવિધ રંગબેરંગી રત્નો અને સ્ફટિકથી બનેલું છે. આ ક્રિસ્ટલ ટ્રીને તમે તમારી પસંદગી પ્રમાણે ઘરે કે ઓફિસમાં રાખી શકો છો.
ઘર-ઑફિસમાં ક્રિસ્ટલ ટ્રી લગાવવાના ફાયદા
ફેંગશુઈમાં ક્રિસ્ટલ ટ્રીના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. ઘરના ભાગ્યને જાગૃત કરવા અથવા દાંપત્ય જીવનમાં મજબૂતી અને ગાઢ સંબંધ જાળવી રાખવા માટે સ્ફટિકનું વૃક્ષ વાવવાની સલાહ આપવામાં આવે છે. લિવિંગ રૂમ અથવા બેડરૂમની દક્ષિણ-પશ્ચિમ દિશામાં ક્રિસ્ટલ ટ્રી રાખવું શુભ માનવામાં આવે છે.
ફેંગશુઈ શાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં ક્રિસ્ટલનું ઝાડ રાખવાથી ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. એટલું જ નહીં કરિયર અને બિઝનેસની તકોમાં પણ ફાયદો છે