પિતૃપક્ષના 16 દિવસ પિતૃના આશીર્વાદ પામવા માટે હોય છે. પિતૃઓએ આપણા પર કરેલા ઉપકારને ચુકવવા માટેનો અવસર માનવામાં આવે છે.
પિતૃ પક્ષમાં વાવી લો આ છોડ
પિતૃઓની નારાજગી થઇ જશે દૂર
માનસિક અને આર્થિક કષ્ટ થશે દૂર
પિતૃ પક્ષ દરમિયાન જ્યારે પિતૃ લોકમાં પાણીની સમસ્યા ઉત્પન્ન થઇ જાય છે તો પૂર્વજની આત્મા વંશજો પાસે આવે છે અને તેવામાં તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ દ્વારા તેમને ભોજન અને જળ અર્પિત કરવામાં આવે છે.
સત્કાર સારી રીતે કરવામાં આવે તો પિતૃ ઘણા જ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે પરંતુ પરિવારના સભ્યો પિંડદાન નથી કરતાં તો પિતૃઓની નારાજગી પરિવારના લોકોને શારીરિક, માનસિક અને આર્થિક કષ્ટ સાથે ચૂકવવી પડે છે. તેવામાં જો આ છોડ લગાવવામાં આવે તો તેમની નારાજગી દૂર થઇ જાય છે.
પીપળો
પીપળાનું વૃક્ષ જો પિતૃ પક્ષમાં લગાવવામાં આવે અને તેની યોગ્ય જાળવણી કરવામાં આવે તો તે સેકડો વર્ષો સુધી લોકોને છાયા આપે છે. પીપળાના વૃક્ષને દૈવીય માનવામાં આવે છે તેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે.
શમી
પિતૃ દોષ અને દુઃખ-દર્દ દૂર કરવા માટે શમીનો છોડ લગાવવો જોઇએ. માન્યતા છે કે આ છોડ લગાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે સાથે જ શનીદેવનો આશીર્વાદ પણ મળે છે.
આ છોડ પણ લગાવવા જોઇએ
પિતૃ પક્ષ દરમિયાન તુલસી, આંબો, ચિચડો, પલાશ, જાંબુ પણ વાવી શકો છો. તેનાથી પિતૃઓને શાંતિ મળે છે અને તેને વાવીને ભૂલી ન જવું જોઇએ. તેની યોગ્ય દરકાર પણ જરૂરી છે.