આગામી લોકસભાની ચૂંટણીને લઇને આગામી 23 તારીખે યોજાનારી મતગણતરીને લઇને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં લેવામાં આવેલ VVPAT મશીનની તાલીમને લઇને આયોજન કરવામાં આવ્યું છે.
ગાંઘીનગરમાં લોકસભા 2019ની મતગણતરીને લઈને આવતીકાલે મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્ક્ષતામાં બેઠક યોજાશે. આ બેઠકમાં રાજ્યના તમામ RO અને ARO અધિકારી પણ હાજર રહેશે. આ બેઠકમાં VVPATને લઈને તાલીમ આપવામાં આવશે. આ સાથે સાથે બેઠકમાં VVPATથી મતગણતરી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન અપાશે.
લોકસભાની ચૂંટણીને લઇને VVPAT તાલીમ માટે ગુજરાતના અધિકારીઓને ચેન્નાઈ તાલીમ માટે મોકલ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીને લઇને આગામી 23 તારીખે યોજાનારી મતગણતરીને લઇને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં લેવામાં આવેલ VVPAT મશીનની તાલીમને લઇને આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના ચૂંટણી પંચ દ્વારા આવતી કાલે તમામ આરઓ અને એઆરઓ અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા આ બેઠકમાં VVPAT મશીનમાં મતગણતરીને લઇને માર્ગદર્શન આપશે.