રાજ્યમાં પાણીની સમસ્યા મામલે સરકારે કવાયત્ હાથ ધરી છે. પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર ટેકનોલોજીનો સહારો લેશે. ગુજરાતના દરિયા કાંઠે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવાનું સરકારનું આયોજન છે. ત્યારે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા પણ 3 દિવસ માટે ચેન્નઈ પ્રવાસે જશે. ચેન્નઈમાં કુંવરજી બાવળિયા વોટર ટ્રીટમેન્ટપ્લાન્ટના મોડલનું નિરીક્ષણ કરશે. ત્યાર બાદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વોટર ડિસલ્ટિંગ પ્લાન્ટની પણ મુલાકાત કરશે. મહત્વનું છે કે રાજ્યના શહેરી વિસ્તારોમાં વોટર ડિસલ્ટિંગ પ્લાન્ટ નાખવા માટે સરકાર વિચારણા કરી રહી છે.