અમદાવાદમાં આવતીકાલે યોજાનાર રથયાત્રાના આયોજનને આખરી ઓપ આપી દેવાયો છે બીજી તરફ રથયાત્રાને લઇને ભક્તોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આવતીકાલે અમદાવાદમાં 145મી રથયાત્રા યોજાશે
રથયાત્રા 19 કિલોમીટર પરંપરાગત રૂટ પર ફરશે
ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે
અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા યોજાશે. જેના આયોજનને લઇને શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ રથયાત્રા શહેરના પરંપરાગત રૂટ પર 19 કિલોમીટર ફરશે. જેમાં 3 રથ, 18 ગજરાજ અને 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો આકર્ષણ જમાવશે. વધુમાં 30 અખાડા અને 18 ભજન મંડળીઓ રથયાત્રામાં જોડાઇ ધૂન-ભજનની રમઝટ બોલાવશે. એટલુ જ નહી 3 બેન્ડવાજા સાથે 2,000થી વધુ સાધુ-સંતો યાત્રામાં જોડાશે. વધુમાં રથયાત્રામાં 35,000 કિલો મગના પ્રસાદ સાથે 500 કિલો જાંબુ, 300 કિલો કેરીના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવશે સાથે-સાથે 400 કિલો કાકડી પણ વહેચવામાં આવશે. રથયાત્રાના જાજરમાન આયોજનના ભાગરૂપે સવારે 4 વાગ્યે મંગળા આરતી યોજાશે.
મંગલા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે
વહેલી સવારે યોજાનાર મંગલા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ હાજરી આપશે. સાથે મોટી સંખ્યામાં શહેરીજનો જોડાશે. ભગવાન જગન્નાથજીની 145 રથયાત્રા માટે દોઢ કરોડનો વીમો લેવામાં આવ્યો છે. બીજી તરફ હાલ કોરોનાના કેસોમાં ઉછાળો આવી રહ્યો હોવાથી રથયાત્રામાં માસ્ક સહિતના કોરોનાના નિયમોનું પાલન કરવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. રથયાત્રાના જબરદસ્ત આયોજન સાથે ઝડબેસલાક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રા પર ડ્રોન કેમેરાના માધ્યમથી નજર રાખવામાં આવશે અને જવાનો સાથે બોડી ઓન કેમેરા પણ કાર્યરત કરાશે વધુમાં સાયબર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર બાઝ નજર રાખવામાં આવી રહી છે.
સુરક્ષામાં કેટલા જવાનો
IG/DIG - 9
SP/DCP - 36
ASP/ACP - 86
PI - 230
PSI - 650
ASI/HC/PC/LR - 11800
SRP- 1,330 જવાનો
CAPF/RAF કંપની 1,540 જવાનો
હોમગાર્ડ - 5,725
BDDS ટીમ - 9
ડોગ સ્ક્વોડ - 13 ટીમ
ATS - 1 ટીમ
માઉન્ટેડ પોલીસ- 70
નેત્ર ડ્રોન કેમેરા - 4
ટ્રેસર ગન - 25
મોબાઈલ કમાન્ડ કંટ્રોલ વ્હિકલ કાર - 4
રથયાત્રાનો ઇતિહાસ
જગન્નાથ ભાગવાનની આ 145મી રથયાત્રા છે
ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રની યાત્રા નિકળે છે
અસાઢી બીજના દિવસે જગન્નાથની રથયાત્રા નિકળે છે
વર્ષ 1876માં ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત થઇ હતી
જગન્નાથ મંદિરના મહંત નૃસિંહદાસજીએ રથયાત્રી શરૂ કરી હતી
નૃસિંહદાસજીને ભગવાન જગન્નાથ સ્વપ્નમાં આવ્યા હતા
ભગવાને મહંતને અમદાવાદમાં જગન્નાથની યાત્રા કાઢવા સંકેત આપ્યા હતા
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્ર નગરચર્યાએ નિકળે છે
અમદાવાદમાં 17 કિમી વિસ્તારમાં રથયાત્રા નિકળે છે
દરેક સમાજના લાકો રથયાત્રામાં રંગેચંગે ભાગ લે છે
નૃસિંહદાસજીના આદેશ બાદ ભરૂચના ખલાસી ભાઇએ રથ તૈયાર કર્યો હતો
શરૂઆતમાં નાળિયેરીના ઝાડમાંથી રથ તૈયાર કરવામાં આવ્યા હતા
હાલમાં સાગના લાકડાના બનેલા રથ પર ભગવાન કરે છે નગરચર્યા
રથયાત્રામાં ગજરાજ, અખાડા, ભજન મંડળી મુખ્ય આકર્ષણ હોય છે
રથયાત્રામાં સામાન્ય રીતે 18 ગજરાજ યાત્રાને પ્રસ્થાન કરાવે છે
રથયાત્રાના રૂટમાં 100થી વધારે કર્તબબાજો ભાગ લેતા હોય છે
રથયાત્રામાં આકર્ષણ
રથયાત્રામાં પ્રસાદનું ખાસ મહત્વ
મગ, જાબું અને ચોકલેટનો પ્રસાદ ખાસ હોય છે
રૂટ પર તમને શેરીએ શેરીએ મગ-ચોકલેટનો પ્રસાદ મળે
રથમાં મંદિર તરફથી મગનો પ્રસાદ આપવામાં આવે છે
રથયાત્રાના રૂટ પર ઠંડાઇ-સરબત પણ પિરસવામાં આવે છે
કર્તબબાજો યાત્રા દરમિયાન જુદા-જુદા કર્તબ બતાવે છે
ભજનમંડળીઓના સૂ-મધુર અવાજથી વાતાવરણ ખુશ્નુમા બને છે
ભગવાનના મોસાળ સરસપુરમાં દાળ-રોટી-માલપુવાનો પ્રસાદ હોય છે
લાખો ભક્તો અને સાધુ-સંતો ભંડારામાં પ્રસાદ લે છે
ખાડિયા, પાનકોર નાકા વગેરે જગ્યાએ નગરજનો દ્વારા સન્માન થાય છે
જમાલપુર, દરિયાપુર, કાલુપુરમાં મુસ્લિમ બીરાદરો મહંતનું સન્માન કરે છે
જમાલપુરમાં મુસ્લિમ આગેવાનો દ્વારા ચાંદીનો રથ મહંતને આપે છે
દરિયાપુરમાં મુસ્લિમ આગેવાન દ્વારા શાંતિદૂત તરીકે કબૂતર ઉડાડે છે
ભારતભરમાંથી લાખો સાધુ સંતો રથયાત્રા માટે ખાસ અમદાવાદ આવે છે
અમદાવાદમાં 5 લાખથી વધારે લોકો રથયાત્રામાં ભાગ લે છે
જગન્નાથ મંદિરનો ઇતિહાસ
અમદાવાદનું જગન્નાથ મંદિર 400 વર્ષ જૂનું છે
સાબરમતી નદી પાસે જમાલપુરમાં જગન્નાથ મંદિર આવેલું છે
400 વર્ષ પહેલા હનુમાનદાસજીએ મંદિરની સ્થાપના કરી હતી
હનુમાનજીદાસ બાદ સારંગદાસજીએ ભગવાન જગન્નાથની મૂર્તિ સ્થાપી
જગન્નાથ સાથે બલભદ્ર અને બહેન સુભદ્રાનું પણ મંદિર બનાવ્યું
144 વર્ષ પહેલા નૃસિંહદાસજી રથયાત્રાની શરૂઆત કરી હતી
હાલ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ છે
જગન્નાથ મંદિરની રથયાત્રા ઓડિસાના પુરી પછીની બીજા નંબરની યાત્રા
ગુજરાતમાં સૌથી મોટી અને મહત્વની રથયાત્રા અમદાવાદની છે
અમદાવાદનું જગન્નાથ મંદિર આજે સમૃદ્ધ મંદિરોમાં સ્થાન પામે છે
રથયાત્રા કેવી રીતે નિકળે છે
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્રની યાત્રા નિકળે છે
ત્રણ અલગ- અલગ રથમાં સવાર ત્રણેય દેવ નગરની યાત્રા કરે છે
રથમાં સૌથી પહેલા ભાઇ બલભદ્ર નિકળે છે
બીજા રથમાં બહેન સુભદ્રા અને છેલ્લે ભગવાન જગન્નાથ હોય છે
નગરચર્યાએ નિકળતા પહેલા ભગવાનની મંગળા આરતી થાય છે
મંગળા આરતી બાદ ભાગવાનના આંખની પટ્ટી ખોલવામાં આવે છે
પટ્ટી ખોલ્યા બાદ ત્રણેયને રથમાં બિરાજમાન કરાય છે
ભગવાન નગરચર્યાએ નિકળે તે પહેલા પહિંદ વિધિ થાય છે
ગુજરાતના મુખ્યમંત્રી હંમેશા પહિંદ વિધિ કરે છે
પહિંદ વિધિ બાદ ગજરાજની આગેવાનનીમાં રથયાત્રા નિકળે છે
ભક્તોને દર્શન આપ્યા બાદ જગન્નાથ મામા ઘરે સરસપુર જાય છે
સરસપુરમાં ભગવાન બપોરે આરામ કરે છે
ત્રણેય રથ ખલાસીઓ દ્વારા ખેંચવામાં આવે છે
રથયાત્રાનો રૂટ પત્યા બાદ ત્રણેય રથ નીજ મંદિર પરત ફરે છે
પહિંદ વિધિ શું છે
ભગવાન નગરચર્યાએ નિકળે તે પહેલા પહિંદ વિધિ થાય છે
પુરીમાં પહિંદ વિધિનો મતબલ છેરા પહેરા વિધિ
પરંપરા પ્રમાણે રાજા કરે છે ભગવાનની પહિંદ વિધિ
સોનાની સાવરણીથી કરવામાં આવે છે પહિંદ વિધિ
પહિંદ વિધિમાં રથને સોનાની સાવરણીથી સાફ કરવામાં આવે છે
રથનો માર્ગ પણ સોનાની સાવરણીથી સાફ કરાય છે
ગુજરાતમાં મુખ્યમંત્રી કરે છે પહિંદ વિધિ
મુખ્યમંત્રી સૌથી પહેલા ભગવાનના રથનું દોરડું ખેંચે છે
1990થી અમદાવાદની રથયાત્રમાં પહિંદ વિધિ થાય છે
પુરી રથયાત્રામાં પુરીના રાજા કરે છે પહિંદ વિધિ
ભગવાનના રથના નામ
ભગવાન જગન્નાથના રથનું નામ નંદીધોષ
જગન્નાથજીને ભગવાન ઇન્દ્રએ આપ્યો હતો રથ
પાળી વસ્ત્રોથી ભગવાનના રથનો થાય છે શણગાર
બલભદ્રજીના રથનું નામ તાલધ્વજ
તાલવાન દેવતાઓ દ્વારા બલભદ્રને અપાયો હતો રથ
સુભદ્રાજીના રથનું નામ દેવદલન અને બીજુ નામ પદ્માધ્વજ
મંગળા આરતીનું મહત્વ
ભગવાન જગન્નાથની મંગળા આરતી
આરતી વિના ભગવાનની ભક્તિ અધૂરી
સનાતન ધર્મમાં આરતીનું અનેરું મહત્વ
મંગળા આરતીના પાવન દર્શન
ભગવાન જગન્નાથના મંગળા દર્શન
પરમાત્માની ભક્તિમાં લીન થવાનું માધ્યમ
આરતીનું બીજું નામ છે નીરાજન
નીરાજન એટલે વિશેષરૂપથી થવું પ્રકાશિત
મંગળા આરતીના દર્શન છે પાવનકારી
મંગળા આરતીથી મન થઈ જાય છે હળવું
વ્યક્તિત્વને ઉજ્જવળ કરે છે મંગળા આરતી
સ્કંદપુરાણમાં છે મંગળા આરતીનું મહત્વ
મંગળા આરતીથી મનમાં થાય શક્તિનો સંચાર
પુરીની રથયાત્રાનો ઈતિહાસ
રાજા ઈન્દ્રધ્યુમ્નને સ્વપ્નમાં ભગવાને આપ્યો હતો સંકેત
મંદિરનું નિર્માણ કાર્ય કરવાનું કર્યું સૂચન
કૃષ્ણની સાથે બલરામ-સુભદ્રાની મૂર્તિ બનાવવાનો આપ્યો આદેશ
મૂર્તિ નિર્માણ માટે રાજાને થાય છે મૂંઝવણ
ભગવાન વિશ્વકર્મા સુથારના રૂપમાં થયા પ્રગટ
મૂર્તિ નિર્માણ માટે રાખવામાં આવી શરત
પ્રતિમા બનાવતા સમયે ન કરવા પરેશાન
અધીરાઈને વશ થઈ રાજાએ મૂર્તિ નિર્માણનો કક્ષ ખોલી નાંખ્યો
ભગવાનની મૂર્તિ રહી જાય છે અધૂરી
અપૂર્ણ મૂર્તિઓમાં પૂર્ણ ચૈતન્યનો વાસ
દર 12 વર્ષે મૂર્તિઓ બદલવામાં આવે છે
ભારતનું એકમાત્ર મંદિર જ્યાં ત્રણેય ભાઈ બહેનની થાય છે પૂજા
રથયાત્રામાં ગજરાજોનું મહત્વ
રથયાત્રામાં સૌ પ્રથમ ગજરાજો જોડાય છે
ગણેશજીનું પ્રતિક છે ગજરાજ
પ્રથમ પૂજ્ય ગણેશજીના પ્રતિકથી થાય છે રથયાત્રાની શરૂઆત
ગજરાજોને સુંદર શણગાર કરવામાં આવે છે
ગજરાજોનું શાસ્ત્રોક્ત વિધિથી થાય છે પૂજન
સરજુપ્રસાદ નામના હાથીની સમાધિએ રથયાત્રાનું અપાય છે નિમંત્રણ
ગજરાજ રથયાત્રાનું છે અભિન્ન અંગ
ઈન્દૌરના રાજાએ સરજુપ્રસાદ નામનો હાથી આપ્યો હતો ભેટમાં
રથમાં બિરાજેલ જગન્નાથના સૌ પ્રથમ દર્શન કરે છે ગજરાજ
પ્રસાદનું મહત્વ
ત્રણેય ભાઈ બહેન મોસાળમાં પ્રસાદ ખાતા હતા
મામાના ઘરે ખૂબ કેરી અને જાંબુ ખાય છે
કેરી અને જાંબુ ખુબ ખાવાથી આવી જાય છે આંખો
આંખો આવવાને કારણે પ્રભુને ધરાવાય છે મગ
મગ શરીરને બળ આપે છે
રથયાત્રા એ લાંબી પદયાત્રા છે
રથ ખેંચતા ખલાસીઓ અને પદયાત્રીઓ માટે શક્તિદાયક પ્રસાદ
વર્ષોથી રથયાત્રાના ભગવાનને ધરાવાય છે સૂકા મેવા યુક્ત ખીચડી
બ્રહ્મ મૂહુર્તમાં ધરાવાય છે ખીચડીનો પ્રસાદ
ફણગાવેલા મગ, કાકડી અને જાંબુનો વહેંચાય છે પ્રસાદ
માલપુઆ, ગાંઠિયા તથા બુંદીનો પ્રસાદ પ્રભુને છે પ્રિય