મહિસાગર: ગુજરાતમાં મંત્રીઓની તબિયત સારી રહે તે માટે મહિસાગરમાં યજ્ઞ કરવામાં આવ્યો છે. DyCM નીતિન પટેલ અને મંત્રી પ્રદીપસિંહની તબિયત સારી રહે તે માટે લુણાવાડા નગરદેવ લુણેશ્વર મહાદેવ મંદિરમાં યજ્ઞ કરવામાં આવ્યો છે.
નાગરિક પુરવઠા નિગમ અને ચેરમેન રાજેશ પાઠક અને SP આ યજ્ઞમાં હાજર રહ્યા હતા અને બન્ને મહામૃત્યુંજન મંત્રનો જાપ કર્યો હતો. આ સાથે જ બન્નેની તબિયતમાં જલદી સુધારો થાય તેવી પ્રાર્થના કરી છે.
#Gujarat ના મંત્રીઅોની તબિયતને લઇને મહિસાગરમાં યજ્ઞ DyCM અને મંત્રી પ્રદીપસિંહની તબિયતલને લઇ યજ્ઞ લુણાવાડા નગરદેવ લુણેશ્વર મહાદેવ મંદિરે કરાયો યજ્ઞ નાગરિક પુરવઠા નિગમ ચેરમેન રાજેશ પાઠક અને SP રહ્યાં હાજર મહામૃત્યુંજય મંત્રના જાપ કરાયા
મંત્રીઅો સ્વસ્થ થાય તેવી પ્રાર્થના pic.twitter.com/gXpjvqmWOw
ઉલ્લેખનીય છે કે રાજ્યના DyCM નીતિન પટેલને મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં નીતિન પટેલના બન્ને ઘૂંટણનું ઓપરેશન કરવામાં આવનાર છે. આ સાથે સોમવારે નીતિન પટેલ અમદાવાદ પરત ફરશે. મહત્વનું છે કે નીતિન પટેલને ઘણા લાંબા સમયથી ઘૂંટણમાં દુ:ખાવાની તકલીફ હતી.
તો આ તરફ રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની તબિયત નાદુરસ્ત થતાં તેમને અમદાવાદ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે રાજ્યના મંત્રીઓની તબિયત સારી રહે તે માટે મહિસાગરમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.