જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા આ વખતે મંગળવારે રોહિણી નક્ષત્રના શોભન યોગમાં આવશે.
ક્યારે છે અખાત્રીજ?
કહેવાય છે વણજોયુ મુહૂર્ત
આ દિવસે 50 વર્ષ બાદ ગ્રહોનો અદ્ભૂત સંયોગ
વૈશાખ શુક્લની અક્ષય તૃતીયા આ વખતે મંગળવારે, 3જી મેના રોજ છે. જ્યોતિષી શાસ્ત્ર અનુસાર અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીય આ વખતે મંગળવારે રોહિણી નક્ષત્રના શુભ યોગમાં આવશે. શુભ યોગમાં અખાત્રીજનો આ સંયોગ 30 વર્ષ બાદનો છે. આટલું જ નહીં 50 વર્ષ બાદ ગ્રહોની ખાસ સ્થિતિ પણ બની રહી છે.
50 વર્ષ બાદ અદ્ભૂત સંયોગ
જ્યોતિષોનું કહેવું છે કે વૈશાખ શુક્લ પક્ષની તીજ પર લગભગ 50 વર્ષ બાદ ગ્રહ ઉચ્ચ રાશિમાં હાજર રહેશે. જ્યારે બે પ્રમુખ ગ્રહ સ્વરાશિમાં બિરાજમાન રહેશે. શુભ સંયોગ અને ગ્રહોની ખાસ સ્થિતિમાં અખાત્રીજ પર દાન કરવાથી પુણ્ય પ્રાપ્તિ થાય છે. આ દિવસે જળથી ભરેલા કળશ પર ફળ મુકીને તેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે અબુઝ મુહૂર્તમાં કોઈ પણ પ્રકારના માંગલિક કાર્ય કરી શકાય છે.
અખાત્રીજ પર રોહિણી નક્ષત્ર, શોભન યોગ, તૈતિલ કરણ અને વૃષભ રાશિ ચંદ્રમા સાથે આવી રહ્યા છે. આ દિવસે મંગળવાર અને રોહિણી નક્ષત્ર હોવાના કારણે મંગળ રોહિણી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. શોભન યોગ તેના કરતા વધારે ખાસ બની રહ્યો છે. સાથે જ પાંચ દશક બાદ ગ્રહોનો ખાસ સંયોગ બની રહ્યો છે.
અખાત્રીજ પર ગ્રહોની ચાલ
અખાત્રીજ પર ચંદ્રમા પોતાની ઉચ્ચ રાશિ વૃષભ અને શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં રહેશે. ત્યા જ શનિ સ્વરાશિ કુંભ અને ગુરૂ સ્વરાશિ મીનમાં બિરાજમાન રહેશે. ભારતીય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાર ગ્રહો અનુકૂળ સ્થિતિમાં હોવું પોતાનામાં જ ખૂબ જ ખાસ છે. અખાત્રીજ પર બની રહેલા શુભ સંયોગમાં મંગળ કાર્ય કરાવું ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે.
અખાત્રીજ પર જરૂર કરો આ ઉપાય
અખાત્રીજ પર બે કળશનું દાન મહત્વપૂર્ણ છે. તેમાં એક કળશ પિતૃઓ અને બીજુ કળશ ભગવાન વિષ્ણુનો માનવામાં આવે છે. પિતૃઓ વાળા કળશને જળથી ભરીને કાળા તલ, ચંદન અને સફેદ ફૂલ નાખો. ત્યાં જ ભગવાન વિષ્ણુ વાળા કળશમાં જળ ભરીને સફેદ જૈ પીળા ફૂલ, ચંદન અને પંચામૃત નાખીને તેના પર ફળ મુકો. તેનાથી પિતૃ અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ પરિવારમાં સુખ-સમૃદ્ધિ પણ બની રહે છે.