આગરાનો તાજમહેલ સોમવારે અચાનક ચર્ચામાં આવ્યો છે. બપોરે લગભગ અઢી કલાકે શાહજહાંના ઉર્સના સમયે તાજ પાસે એક વિમાન પસાર થવાના કારણે ત્યાં હાજર લોકો હૈરાન રહી ગયા હતા.
તાજમહેલની સુરક્ષા પર મોટા સવાલ
નો ફ્લાઈંગ ઝોનમાં વિમાન આવ્યું
સિક્યોરિટી પર ગંભીર સવાલ
આગરાનો તાજમહેલ સોમવારે અચાનક ચર્ચામાં આવ્યો છે. બપોરે લગભગ અઢી કલાકે શાહજહાંના ઉર્સના સમયે તાજ પાસે એક વિમાન પસાર થવાના કારણે ત્યાં હાજર લોકો હૈરાન રહી ગયા હતા. કારણ કે, તાજમહેલ પર નો ફ્લાઈંગ ઝોન છે. તેમ છતાં પણ તેના પરથી વિમાન પસાર થયું. તો વળી આ મામલે હવે એએસઆઈએ સીઆઈએસએફ પાસેથી રિપોર્ટ માગ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, તાજમહેલની સુરક્ષાને લઈને હાઈ લેવલની કમિટી ગત અઠવાડીયે એલર્ટ જાહેર કર્યું હતું. તો વળી હવે નો ફ્લાઈંગ ઝોનમાં વિમાન ઉડ્યા બાદ સિક્યોરિટી એજન્સી એલર્ટ પર આવી ગઈ છે.
તાજમહેલ પર વિમાન ફરક્યું
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, તાજમહેલ સૌથી નબળાં સ્મારકોમાંનું એક છે, અને તેની સુરક્ષા એજન્સીઓે કરે છે. સોમવારે બપોરે લગભગ અઢી કલાકે પૂરપાટ ઝડપે એક વિમાન યમુના કિનારે ટાવર પાસેથી પસાર થયું. જે બાદ તાજમહેલની સુરક્ષા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલમાં એએસઆઈએ સીઆઈએસએફ કમાંડેટ પાસે રિપોર્ટ માગ્યો છે. તો વળી આ રિપોર્ટ આવ્યા બાદ જ કોઈ મોટી કાર્યવાહી થશે. જો કે, પ્રશાસને તો સ્થાનિક સ્તર પર 500 મીટરના એરિયામાં ડ્રોન ઉડાવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
25 સેકન્ડ રહ્યુ વિમાન
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, વિમાન તાજમહેલ પર લગભગ 25 સેકન્ડ રહ્યું અને ત્યાર બાદ ત્યાંથી ગાયબ થઈ ગયું. પણ ત્યાર બાદ તાજમહેલની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. સવાલ કરવામાં આવી રહ્યા છે કે, સંવેદનશીલ સ્મારકની પાસે વિમાન કઈ રીતે આવ્યું, આ વિમાન કોનું હતું ?
વીડિયો થયો વાયરલ
જ્યારે તાજમહેલ પરથી વિમાન પસાર થયું તો, તે સમયે ત્યાં હાજર લોકોએ વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા બાદ એએસઆઈના અધિકારીઓને સિક્યોરિટી એજન્સીઓ પાસેથી રિપોર્ટ માગ્યો છે.