બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / PLANE CRASH of Yeti Airlines from Kathmandu to Pokhara

BIG BREAKING / નેપાળ પ્લેન ક્રેશ: અત્યાર સુધીમાં કુલ 40 મૃતદેહ મળ્યા, PMએ બોલાવી ઈમરજન્સી કેબિનેટ મીટિંગ

Priyakant

Last Updated: 02:13 PM, 15 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળી મીડિયામાંથી જાણવા મળ્યું છે કે, કાઠમાંડુથી પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે. વિમાનમાં 68 મુસાફરો સવાર હતા

  • નેપાળથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા
  • કાઠમાંડુથી પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું વિમાન ક્રેશ 
  • વિમાનમાં  68 મુસાફરો સવાર હોવાની માહિતી સામે આવી

નેપાળથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ કાઠમંડુથી પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું વિમાન ક્રેશ થયાનું ખૂલ્યું છે. વિગતો મુજબ આ વિમાનમાં 68 મુસાફરો સવાર હોવાની માહિતી સામે આવી છે. નેપાળ આર્મી, આર્મ્ડ પોલીસ, નેપાળ પોલીસ તેમજ સ્થાનિક નાગરિકો બચાવ કામગીરીમાં લાગેલા છે. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં વિમાન દુર્ઘટનામાં 40 મૃતદેહો મળી આવ્યા છે. મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.

નેપાળમાં એક પ્લેન ક્રેશ થયાનું સામે આવ્યું છે. નેપાળી મીડિયામાંથી જાણવા મળ્યું છે કે, કાઠમંડુથી પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે. વિમાનમાં 68 મુસાફરો સવાર હતા. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ પ્રચંડે તમામ સરકારી એજન્સીઓને અસરકારક બચાવ કાર્ય માટે સૂચના આપી છે. તેમણે આ ઘટનાને લઈને કેબિનેટની ઈમરજન્સી બેઠક પણ બોલાવી છે. મળતી માહિતી મુજબ, યેતી એરલાઈન્સના ATR-72 વિમાને કાઠમંડુથી પોખરા માટે ઉડાન ભરી હતી.

આ 72 સીટર એરક્રાફ્ટમાં 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર્સ એટલે કે કુલ 72 લોકો હતા. પ્લેન પોખરા નજીક પહોંચ્યું હતું ત્યારે ક્રેશ થયું હતું. નેપાળી મીડિયા અનુસાર, આ અકસ્માત પોખરાના જૂના ડોમેસ્ટિક એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે થયો હતો. 

કાઠમંડુ પોસ્ટ અનુસાર, યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ કહ્યું છે કે વિમાનમાં 68 મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા. યતિ એરલાઈન્સના પ્રવક્તાએ એમ પણ કહ્યું છે કે અત્યાર સુધીમાં 16 મૃતદેહો મળી આવ્યા છે. તેમણે કહ્યું કે બચાવ કાર્ય ચાલુ છે. આ અકસ્માત દિવસના 11.10 વાગ્યે થયો હતો. આ પ્લેન પોખરા ખીણમાં સેતી નદીના ખાડામાં પડી ગયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ