કેરળના કોઝિકોડમાં વિમાન દુર્ઘટના બની છે. તેમાં પાયલટ અને કો પાયલટ સહિત 18 લોકોના મોત થયા છે. દુબઈથી આવી રહેલું એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન લેન્ડિંગ સમયે લપસી ગયું અને 35 ફીટની ખાઈમાં પડ્યું. આ સમયે વિમાનના 2 ટુકડા થઈ ગયા હતા. તેમાં પાયલટ અને કો પાયલટના પણ મોત નીપજ્યા છે. વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને પણ શનિવારે સવારે કોઝિકોડ પહોંચીને સ્થિતિને જાણી હતી.
લેન્ડિંગ સમયે વિમાન 35 ફીટની ખાઈમાં પડ્યું
રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે
વિમાનમાં કુલ 190 લોકો સવાર હતા
નાગરિક ઉડ્ડનમંત્રીએ કહ્યું કે આ ઘટનામાં 2 પાયલટ સહિત 18 લોકોના મોત થયા છે જે દુર્ભાગ્યની વાત છે. 127 લોકો હોસ્પિટલમાં એડમિટ છે. શુક્રવારે કોઝિકોડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયું, વિમાનમાં આગ લાગી હોત તો કામ વધારે મુશ્કેલ બન્યું હોત. હું અત્યારે એરપોર્ટ જઈ રહ્યો છું.
केरल: केंद्रीय विदेश राज्य मंत्री वी.मुरलीधरन ने कोझिकोड एयरपोर्ट का दौरा किया, कोझिकोड एयरपोर्ट पर कल एयर इंडिया एक्सप्रेस का विमान दुर्घटनाग्रस्त हो गया था। इस हादसे में 18 लोगों की मौत हो गई। pic.twitter.com/eFEOEYI5FF
વંદે ભારત મિશનના આધારે એર ઈન્ડિયા એક્સપ્રેસ AXB1344, બોઈંગ 737 દુબઈથી કોઝીકોડ આવી રહ્યું હતું. દુબઈથી 184 યાત્રીઓ, 2 પાયલટ અને 6 ક્રી મેમ્બર્સની સાથે તે કોઝીકોડ પહોંચ્યું, પણ એર ઈન્ડિયાનું વિમાન રન વે પાર કરતું દીવાલ સાથે અથડાયું અને તેના 2 ભાગ થઈ ગયા. આ સમયે અફરાતફરીનો માહોલ બન્યો હતો. અત્યારે રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે.
ડીજીસીએના ડીજીના આધારે ઓછામાં ઓછા 170 લોકો સુરક્ષિત છે. વિમાનના પાયલટ અને કો પાયલટના પણ મોત થયા છે. કેબિન ક્રના 4 સભ્યો સુરક્ષિત છે. કેરળના ડીજીપીએ જણાવ્યું છે કે અત્યાર સુધી આ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા છે. કેટલાક લોકો કાટમાળમાં ફસાયા છે. ઘટના સમયે વિમાનમાં 10 નવજાત શિશુઓ પણ હતા. ઘટના બની ત્યારે વિમાન રન વેને પાર કરીને દિવાલ સાથે અથડાયું હતું. ઉલ્લેખનીય છે કે આ એરપોર્ટનો રન વે વધારે લાંબો નથી. આ સાથે ઓછી વિઝિબિલિટી અને ભારે વરસાદના કારણે એ ઘટના બની હતી.
केरल: कल कोझिकोड में दुर्घटनाग्रस्त हुए एयर इंडिया एक्सप्रेस के विमान का मलबा।
લેન્ડિંગ સમયે બની ઘટના, પીએમ મોદીએ પણ લીધી ઘટનાની જાણકારી
ઉલ્લેખનીય છે કે વિમાનમાં કોઈ આગ લાગી ન હતી. ઘટના બન્યા બાદ તરત જ રાહતનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. સૌ પહેલાં એરપોર્ટ પરના સીઆઈએસએફના જવાનોએ રેસક્યૂની કામગીરી શરૂ કરી. થોડી વાર બાદ એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી. પીએમ મોદીએ પણ સ્થિતિની જાણકારી મેળવવા કેરળના મુખ્યમંત્રી પી. વિજયન સાથે વાત કરી હતી.
मैंने मलबा (विमान का) देखा, ये दो टुकड़ों में टूटा है। जांच चल रही है। नागर विमानन महानिदेशालय(DGCA) ने पहले ही जांच के आदेश दे दिए हैं और नागरिक उड्डयन मंत्री करीब 12 बजे तक पहुंच रहे हैं: केंद्रीय विदेश राज्य मंत्री वी.मुरलीधरन https://t.co/zO6jtwNrSrpic.twitter.com/GxJX8hFdHN
ઘટના બાદ સ્થિતિની જાણકારી લેવા માટે વિદેશ રાજ્યમંત્રી મુરલીધરન કાલીકટ પહોંચ્યા છે. તેઓ પીડિત પરિવારોની સાથે મુલાકાત કરશે. તો કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને કેરળના મુખ્યમંત્રી પી. વિજયન પણ કાલીકટ જશે.