વંદે ભારત મિશન અંતર્ગત દુબઇથી 190 પેસેન્જરને લઇને ભારત આવી રહેલ એર ઇન્ડિયાનું વિમાન ગઇકાલે કેરળ ખાતે ક્રેશ થયું. આ ઘટનામાં 18 જેટલા લોકોના મોત થયાં અને અન્ય કેટલાક ઘાયલ થયાં છે. તો વળી વિમાનના તૂટીને 2 ભાગ પણ થઇ ગયા. હવે આ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે.
કેરળમાં વિમાન દૂર્ઘટના મામલો
પાયલટે એન્જીન બંધ ન કર્યું હોત તો લાગેત આગ
વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને કહ્યું કે પાઇલટની સમજદારીને કારણે મોટી હોનારત ટળી હતી. તેમણે કહ્યું કે વિમાન દુર્ઘટના પહેલા પાઇલટે એન્જિન બંધ કરી દીધું હતું, જેના કારણે અકસ્માત બાદ વિમાનમાં આગ ન લાગી. જો આગ લાગી હોત તો મોટો અકસ્માત સર્જાયો હોત.
કેન્દ્રીય મંત્રીએ વિમાન દૂર્ઘટનાનો મેળવ્યો તાગ
પોલીસ અને એરલાઇન્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મૃતકોમાં મુખ્ય પાયલટ કેપ્ટન દીપક સાઠે અને તેમના કો-પાયલટ અખિલેશ કુમાર પણ સામેલ છે. સાઠે ભારતીય વાયુસેનામાં પહેલા વિંગ કમાન્ડર રહી ચૂક્યા છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે અડધી રાતે નિવેદન આપ્યું હતું કે, દુર્ભાગ્યપૂર્ણ પાયલટના પણ મોત થયાં છે અને અમે તેમના પરિવારજનોના સંપર્કમાં છીએ. આપે જણાવી દઇએ કે, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી પણ કેરળ પહોંચ્યા હતા અને વિમાન દૂર્ઘટનાનો તાગ મેળવ્યો હતો.
Kerala: Civil Aviation Minister, Hardeep Singh Puri visits Kozhikode Airport, where an #AirIndiaExpress flight crashlanded yesterday.
નાગરિક ઉડ્ડનમંત્રીએ કહ્યું કે આ ઘટનામાં 2 પાયલટ સહિત 18 લોકોના મોત થયા છે જે દુર્ભાગ્યની વાત છે. 127 લોકો હોસ્પિટલમાં એડમિટ છે. શુક્રવારે કોઝિકોડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયું, વિમાનમાં આગ લાગી હોત તો કામ વધારે મુશ્કેલ બન્યું હોત.
કો પાઈલટ અખિલેશ કુમાર પિતાના બનાવાના હતા
એક ઈન્ડિયા વિમાનની દુર્ધટનામાં મથુરાના કો પાઈલટ અખિલેશ કુમાર ભારદ્વાજના પરિવારની ખુશીનો માહોલ શોકમાં પરિણમી છે. અખિલેશની પત્ની મેઘા ગર્ભવતી છે. 10 દિવસ બાદ તેની ડિલીવરી થવાની છે. પરિવાર સેલિબ્રેશનની તૈયારીઓમાં લાગેલો હતો. પરંતુ અખિલેશના મોતના સમાચાર આવ્યા છે. પરિવારમાં શોક વ્યાપી ગયો છે. પરિવાર માની નથી શકતું કે અખિલેશ આ દુનિયામાં નથી રહ્યા.
ગોવિંદ નગર વિસ્તારમાં પોતરા કુંડ નિવાસી 32 વર્ષીય અખિલેશ કુમાર ભારદ્વાજ ઉર્ફે દીપક તુલસીરામ એર ઈન્ડિયામાં કો- પાયલટ હતા. શુક્રવારે કેરળના કોઝિકોડ સ્થિત કરીપુર એરપોર્ટ પર થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમનું મોત નિપજ્યુ છે. મોતના સમાચારથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
પાયલટ અખિલેશકુમાર 3 ભાઈઓમાં સૌથી મોટા હતા. તેમના લગ્ન મૈઘા સાથે થાય હતા. 10 દિવસ બાદ ડિલીવરી થવાની છે. તેને લઈને પરિવારમાં સેલિબ્રેશનનો માહોલ હતો. પરંતુ અખિલેશના મોતથી આ આનંદ દુઃખમાં પરિણમ્યો છે. પરિવારજનોએ હજું સુધી મેઘાને પતિના મોતના સમાચાર આપ્યા નથી.
કેવી રીતે બની સમગ્ર ઘટના
વંદે ભારત મિશનના આધારે એર ઈન્ડિયા એક્સપ્રેસ AXB1344, બોઈંગ 737 દુબઈથી કોઝીકોડ આવી રહ્યું હતું. દુબઈથી 184 યાત્રીઓ, 2 પાયલટ અને 6 ક્રી મેમ્બર્સની સાથે તે કોઝીકોડ પહોંચ્યું, પણ એર ઈન્ડિયાનું વિમાન રન વે પાર કરતું દીવાલ સાથે અથડાયું અને તેના 2 ભાગ થઈ ગયા. આ સમયે અફરાતફરીનો માહોલ બન્યો હતો. અત્યારે રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે.