પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર મોટો દાવો કર્યો હતો. નીતિશ ભાજપના સંપર્કમાં છે. તેઓ ગમે ત્યારે ભાજપ સાથે જઈ શકે છે.
પ્રશાંત કિશોરનો નીતિશ કુમારને લઈને દાવો
નીતિશ ભાજપના સંપર્કમાં છે: પીકે
નીતિશે ભાજપ સાથે ગઠબંધન તોડ્યું હતું
ચૂંટણી રણનીતિકાર રહેલા પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર મોટો દાવો કર્યો હતો. નીતિશ ભાજપના સંપર્કમાં છે. તેઓ ગમે ત્યારે ભાજપ સાથે જઈ શકે છે. તેઓએ હજી સુધી દરવાજા બંધ કર્યા નથી. આ પહેલા ભાજપ સાથે ગઠબંધન ખતમ કર્યા બાદ નીતિશે કહ્યું હતું કે હવે તેઓ ક્યારેય ભાજપ સાથે નહીં જાય.
આ માણસા છેતરી જશે: પીકે
જનસુરાજ પદયાત્રા દરમિયાન તેમણે બુધવારે પશ્ચિમ ચંપારણની ભેડીહરવા પંચાયતમાં કહ્યું કે સીએમ ભલે આ દિવસોમાં આરજેડીની સાથે હોય, પરંતુ તેઓ ગમે ત્યારે ભાજપ સાથે જોડાઈ શકે છે અને તેઓ સતત ભાજપના સંપર્કમાં છે. પીકેએ એ લિંક પણ જણાવી હતી જેના દ્વારા નીતિશ ભાજપ સાથે જઈ શકે છે. પ્રશાંત કિશોરે કહ્યું કે 2015માં તમે મતદાન કર્યું હતું. આ શખ્સ 2017માં તને છેતરીને ભાગી ગયો હતો. તમે નીતીશને મારાથી વધારે ઓળખતા નથી. આ ફરી પાછા તમને છેતરશે. પ્રશાંતે એમ પણ કહ્યું કે મને ખબર છે કે કઈંક પણ આવડે કે ના આવડે પણ ચૂંટણી લડતા તો સારી રીતે આવડે છે.
ભાજપના સંપર્કમાં છે નીતિશ:પીકે
પીકેએ કહ્યું કે તેઓ પોતાની પાર્ટીના સાંસદ અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશજીના માધ્યમથી ભાજપના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે, જે લોકો એવું વિચારી રહ્યા છે કે નીતિશ કુમાર ભાજપ વિરુદ્ધ રાષ્ટ્રીય ગઠબંધન બનાવવાની પૂરી કોશિશ કરી રહ્યા છે, તેમને જાણીને આશ્ચર્ય થશે કે તેમણે ભાજપ સાથેનો રસ્તો ખુલ્લો રાખ્યો છે.
જેડીયૂએ કહ્યું- પીકે અફવા ફેલાવી રહ્યા છે
જો કે જેડીયૂએ આ વાતનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. જેડીયૂના નેતાએ તેને સંપૂર્ણ અફવા ગણાવી છે. કહ્યું છે કે પ્રશાંત કિશોર આવી વાતો કરીને ભ્રમ ફેલાવે છે. તેમાં કોઈ સત્ય નથી. નીતિશ હવે ભાજપ સાથે નહીં જઈ શકે. મુખ્યમંત્રીએ આ વાતની સાર્વજનિક જાહેરાત કરી છે. તેમાં કોઈ સત્યતા નથી.
મોદીને સત્તામાં લાવ્યા બાદ પીકે ચર્ચામાં
પ્રશાંત કિશોરનો જન્મ 1977માં બિહારના બક્સર જિલ્લામાં થયો હતો. તેમની માતા ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાની છે, જ્યારે તેમના પિતા બિહાર સરકારમાં ડોક્ટર છે. તેમની પત્નીનું નામ જાહ્નવી દાસ છે, જે આસામના ગુવાહાટીમાં ડોક્ટર છે. પ્રશાંત કિશોર અને જાન્હવીને એક પુત્ર છે. 2014માં તેઓ મોદી માટે પ્રચાર માટે ચર્ચામાં આવ્યા હતા.
પીકેની પદયાત્રા
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (પીકે)ની જનસુરાજ પદયાત્રા શરૂ થઈ ગઈ છે. તેમણે પદયાત્રાની શરૂઆત બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના ભીતીહારવા ગાંધી આશ્રમથી કરી હતી. આ દરમિયાન તેમણે મંચ પરથી કહ્યું કે હું બિહારમાં એક નવી રાજકીય વ્યવસ્થા ઊભી કરવા માગું છું. હું યોગ્ય વ્યક્તિ શોધીશ, તો જ હું પાર્ટી બનાવીશ. આ જનતાની પાર્ટી હશે, જેમાં પરિવારવાદ કામ નહીં કરે.
પ્રશાંત કિશોરે નવી પાર્ટીની જાહેરાત કરી હતી
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે નવી પાર્ટી બનાવવાની જે જાહેરાત કરી તેનાથી તમામ પક્ષોમાં બેચેની વધી ગઈ છે. ભાજપની પ્રતિક્રિયા પહેલા સામે આવી છે. ભાજપના વરિષ્ઠ નેતા અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ પ્રશાંત કિશોરના આ પગલાને 'બિનજરૂરી અને ભવિષ્યહીન' ગણાવ્યું છે. સુશીલ મોદીએ બે ટ્વિટ કરીને કહ્યું છે કે, કોઈ રણનીતિ બનાવે કે પોસ્ટર બેનર લગાવે તેનાથી રાજકારણ થતું નથી. સુશીલ મોદીએ પોતાની પાર્ટી ભાજપની તુલના નદી સાથે કરી છે, જ્યારે પ્રશાંત કિશોરની નવી પાર્ટીની તુલના એક નાની નહેર સાથે કરવામાં આવી છે.
નવા ચહેરા બનશે પાર્ટીના નાયકો
અણ્ણા આંદોલનમાંથી હીરો તરીકે ઉભરી આવેલા અરવિંદ કેજરીવાલ અને તેમની સાથે રાજકારણના નવા ચહેરાઓ સત્તામાં આવ્યા હતા. આ ફોર્મ્યુલા એટલી હિટ થઈ ગઈ કે જ્યારે પ્રશાંત કિશોરે બિહારની રાજનીતિમાં ફરીથી પોતાનું સ્થાન જોવાનું શરૂ કર્યું તો તેમની સાથે યુવાઓની ફોજ પણ નેતા બનવાના સપના જોવા લાગી છે. નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ, વકીલો, સામાજિક કાર્યકરો પણ નેતા બનવાની આશા સેવી રહ્યા છે. રાજકારણ સાથે સંકળાયેલા લોકો, જેમને ક્યારેય ચૂંટણી લડવાની તક મળી નથી અથવા આરજેડી, જેડીયુ અને ભાજપ જેવા પક્ષોમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે, તેમને પણ તકો દેખાવા લાગી છે.