યુનિયન રેલવે મિનિસ્ટર પિયુષ ગોયલને કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રીનો એડિશનલ ચાર્જ સંભાળવા માટે આપ્યો છે. આ હોદ્દો સ્વર્ગસ્થ મંત્રી રામવિલાસ પાસવાન સંભાળતા હતા.
શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ માહિતી આપવામાં આવી હતી કે PM મોદીની સલાહથી રાષ્ટ્ર્પતિ રામનાથ કોવિંદે ગોયલને તેમના રેલ્વે મંત્રાલય ઉપરાંત કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
નોંધનીય છે કે રામવિલાસ પાસવાન દેશના સૌથી ટોચના દલિત નેતાઓમાંથી એક હતા અને તેઓ 8 વખત લોકસભાના MP રહી ચુક્યા હતા. તેમનું લાંબી માંદગી 74 વર્ષની વયે ગુરુવારે નુકશાન થયું હતું. તેઓ ભાજપની NDA સરકાર અને કોંગ્રેસની UPA સરકાર બંનેના ભાગ રહી ચુક્યા છે.
યુનિયન કેબિનેટે મળીને પાસવાનના નિધન ઉપર શોક જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે ભારતે એક સમર્થ નેતા અને એક સફળ સંચાલનકર્તા ગુમાવ્યો છે.