પિયુષે સોશ્યલ મિડીયા દ્વારા આ વાતની જાણકારી આપી હતી અને લખ્યું કે, ઘણા દુઃખ સાથે કહેવુ પડી રહ્યું છે કે મારા પિતા પ્રમોદ કુમાર ચાવલાનું આજે નિધન થયુ છે. તેમણે કોરોના વાયરસથી થનારી બધી પ્રોબ્લેમ સાથે ઘણો સંઘર્ષ કર્યો
પિયુષના પિતાના નિધન પર આઇપીએલ ફ્રેન્ચાઇઝીએ પણ દુઃખ વ્યક્ત કર્યુ છે અને મુંબઇ ઇન્ડિયન્સે ઇન્ડિયન જર્સીમાં ખેલાડીના પિતાના નિધન વિશે જણાવ્યુ છે.
Our thoughts go out to Piyush Chawla who lost his father, Mr. Pramod Kumar Chawla this morning.
ઇરફાને આપી શ્રદ્ધાંજલિ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે પણ ટ્વિટ કરીને પિયુષના પિતાને શ્રદ્ધાંજલિ આપી છે અને તેમણે ટ્વિટ કર્યુ કે, મારા ભાઇ પિયુષ, પ્રમોદ અંકલ હવે નથી. હું દુઆ કરુ છુ કે આ મુશ્કેલ સમયને સહન કરવાની ઇશ્વર તને શક્તિ આપે. કોરોનાએ એક વધુ જીંદગી લઇ લીધી.
એક દિવસ પહેલા સાકરીયાએ પિતાને ગુમાવ્યા
એક દિવસ પહેલા જ ચેતન સાકરીયાએ પોતાના પિતાને કોરોનાના કારણે ગુમાવ્યા છે. આઇપીએલ 2021માં શાનદાર પ્રદર્શન કરનાર ચેતન સાકરીયાના પિતાનું પણ કોરોનાના કારણે નિધન થયુ છે.