બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / pitru paksha 2023 pishach mochan shradh significance and rules in hindi

ધર્મ / તમામ અતૃપ્ત આત્માઓની મુક્તિ! શું હોય છે પિશાચ મોચન શ્રાદ્ધ? જાણો ધાર્મિક મહત્વ અને વિધિ વિધાન

Last Updated: 08:05 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પિતૃપક્ષમાં પૂર્વજોની પૂજાનું ઘણું મહત્વ છે. ત્યારે આ પવિત્ર સમય દરમિયાન તમામ અતૃપ્ત આત્માઓના મોક્ષ માટે પણ શ્રાદ્ધ પરંપરા છે. જેમાં પિશાચ મોચન શ્રાદ્ધ ખુબ જ મહત્વ ધરાવે છે. ત્યારે આવો જાણીએ શું છે આ પિશાચ મોચન શ્રાદ્ધ.

  • હિન્દુ ધર્મમાં પૂર્વજોની પૂજાનું ખૂબ જ મહત્વ
  • જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય માટે પિતૃઓના આશીર્વાદ જરૂરી
  • જાણો આત્માઓને મુક્ત કરવા માટે પિશાચ મોચન શ્રાદ્ધ વિષે 

હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની જેમ પૂર્વજોને પણ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે અને પૂર્વજોની પૂજાનું ખૂબ જ મહત્વ રહેલું છે. ધાર્મિક માન્યતા એવી છે કે જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય મેળવવા માટે પિતૃઓના આશીર્વાદ મેળવવા ખૂબ જ અગત્યની બાબત છે. જે લોકોની કુંડળીમાં પિતૃદોષ હોય છે. તેમને મુક્તિ મેળવવા માટે પિંડદાન કરવું જોઈએ. તેવી હિન્દુ શાસ્ત્રમાં માન્યતા છે આ ઉપરાંત એવી પણ કેટલીક માન્યતા છે કે આત્માઓ મૃત્યુ પછી ભૂત સ્વરૂપમાં ભટકતી રહે છે. ત્યારે આવ્યા આત્માઓને મુક્ત કરવા માટે પિશાચ મોચન શ્રાદ્ધ ખૂબ મહત્વ ધરાવે છે.

પિતૃપક્ષમાં આ દિવસે નહીં થાય શ્રાદ્ધ! 12 વર્ષ બાદ બની રહ્યો છે આ ખાસ સંયોગ,  જાણો તર્પણ માટે તારીખો | pitru paksha 2022 date tithi shubh sanyoga 16  shradha dates 2022

25 ડિસેમ્બર 2023 ના રોજ ઉજવાશે
ધાર્મિક માન્યતા એવી છે કે જો પરિવારની કોઈ વ્યક્તિનું અકસ્માતે મૃત્યુ થયું હોય તો તે ભૂત સ્વરૂપમાં ભટકવાની શક્યતાઓ વધી જતી હોય છે અને પૂર્વજો કોઈપણ કારણસર ભૂતલોકમાં જાય તો તેઓને મુક્ત કરવા માટે દર વર્ષે માગસર મહિનામાં આવતા પિશાચ મોચન શ્રાદ્ધના દિવસે વિધિ વિધાન સાથે શ્રાદ્ધ કરવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે પિશાચ મોચન શ્રાદ્ધ 25 ડિસેમ્બર 2023 ના રોજ ઉજવાશે.

જળ પીપળાને અર્પણ કરવું તેવી માન્યતા

માન્યતા એવી છે કે જે લોકોને કુંડળીમાં પિતૃદોષ હોય, અથવા તો ભૂત પ્રેતનો ડર લાગતો હોય અને ખૂબ વિઘ્નો આવતા હોય તેઓએ ખાસ આ પ્રકારનું શ્રાદ્ધ કરવું જોઈએ. આ શ્રાદ્ધ કરવાથી કોઈપણ આત્માના મોક્ષનો માર્ગ ખુલી શકે છે અને તે ધામમાં પહોંચી શકે છે. બાદમાં તેમના આશીર્વાદ પરિવારજનોને પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ શ્રાદ્ધ કરવા માંગતા લોકોએ શ્રાદ્ધના દિવસે સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ. ત્યારબાદ સ્નાન કરવું જોઈએ અને ધ્યાન કરી શરીરને શુદ્ધ કરવું જોઈએ.બાદમાં એક વાસણમાં પાણી ભરીને દક્ષિણ તરફ બેસી પૂર્વજોનું નામ લઇ અને વિધિ વિધાન મુજબ આ શ્રાદ્ધનો સંકલ્પ કરવો જોઈએ. પછી જમીનને પાણી રેડી અને અર્પણ તર્પણ કર્યા પછી ભૂત મુક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ. મહત્વનું છે કે પિતૃઓની આ પૂજા તાંબાના વાસણમાં થોડું પાણી લઈને તેમાં દૂધ, ઘી, મધ, તલ સહિતની વસ્તુ રાખવી જોઈએ પૂજાના અંતમાં જળ પીપળાને અર્પણ કરવું તેવી માન્યતા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Pitru Paksha 2023 Significance pishach mochan shradh અતૃપ્ત આત્મા પિશાચ મોચન શ્રાદ્ધ શ્રાદ્ધ પક્ષ Pitru Paksha 2023
Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ