બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 02:55 PM, 29 September 2023
ADVERTISEMENT
હિંદુ ધર્મમાં પિતૃપક્ષ પૂર્વજોને સમર્પિત છે. શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને યાદ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, વિધિપૂર્વક પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. આ વર્ષે પિતૃપક્ષ આજથી શરૂ થયો છે અને 14 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. પિતૃપક્ષની 3 તિથિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
પિતૃપક્ષ તિથિ
પિતૃપક્ષની તમામ તિથિનું મહત્ત્વ છે, પરંતુ કેટલીક તિથિને વિશેષ માનવામાં આવે છે. કોઈ કારણવશ પિતૃપક્ષના 15 દિવસ દરમિયાન તર્પણ કાર્ય કરવામાં ના આવે તો આ 3 તિથિ હોય ત્યારે આ ખાસ કામ કરી લેવું જોઈએ.
ADVERTISEMENT
ભરણી શ્રાદ્ધ (Bharani Shraddha)
પિતૃપક્ષમાં ભરણી શ્રાદ્ધનું ખાસ મહત્ત્વ છે. આ વર્ષે ચોથની તિથિએ 2 ઓક્ટોબરના ભરણી શ્રાદ્ધ છે. પરિવારજનોના મૃત્યુના એક વર્ષ પછી ભરણી શ્રાદ્ધ કરવું જરૂરી છે. મૃતક અવિવાહિત હોય તો તેમનું શ્રાદ્ધ પાંચમના દિવસે કરવામાં આવે છે. ગયા અથવા પુષ્કરમાં ભરણી શ્રાદ્ધ કરવાથી મૃતકની આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે.
નવમી શ્રાદ્ધ (Navami Shraddha)
પિતૃપક્ષની પાંચમની તિથિએ નવમી શ્રાદ્ધ કરવામાં આવે છે. જે માતૃ નવમી અથવા માતૃ શ્રાદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે 7 ઓક્ટોબરના રોજ નવમી શ્રાદ્ધ કરવામાં આવશે. આ તિથિ માતૃ પિતૃને સમર્પિત છે. જેથી ઘરની પૂર્વજ મહિલાઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ પ્રકારે ના કરવાથી તેઓ નારાજ થઈ શકે છે.
સર્વ પિતૃ અમાસ (Sarva Pitru Amavasya)
સર્વ પિતૃ અમાસને અમાસનું શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષની અંતિમ તિથિએ સર્વ પિતૃ અમાસ હોય છે, આ વર્ષે 14 ઓક્ટોબરના રોજ સર્વ પિતૃ અમાસ છે. જે લોકોના નિધનની તિથિ યાદ ના હોય તે લોકોનું આ દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે. કોઈ કારણોસર પિતૃપક્ષમાં શ્રાદ્ધ ના કરી શકો તો સર્વ પિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.