2 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે. હિંદુ ધર્મમાં શ્રાદ્ધની વ્યવસ્થા એટલા માટે કરાઈ છે જેનાથી મનુષ્ય વર્ષમાં એક વાર તેમના પિતૃઓને યાદ કરીને તેમને પ્રતિ શ્રદ્ધા વ્યક્ત કરી શકે. શ્રાદ્ધનો અર્થ પિતૃઓ પ્રતિ વ્યક્ત કરાતી શ્રદ્ધા છે. જે વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય છે તેમને માટે પણ શ્રાદ્ધ પક્ષનો સમય વિશેષ હોય છે. આ 16 દિવસોમાં કરાયેલા કર્મોના આધારે જ પિતૃદોષથી મુક્તિ મળવાનું સંભવ છે. જે લોકોને પિતૃદોષ રહે છે તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ માટે અનેક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. જેનાથી તમે રાહત મેળવી શકો છો.
પિતૃદોષના કારણે આવે છે અનેક મુશ્કેલીઓ
પિતૃદોષ માટે જણાવાયા છે આ ખાસ ઉપાય
પિતૃદોષમાંથી રાહત મેળવવા માટે કરી લો આ નાના ઉપાય
જેમની કુંડળીમાં પિતૃદોષ હોય છે તેમને સંતાન થવામાં સમસ્યા આવે છે અથવા સંતાન થતું નથી. સંતાન થાય તો તેને વધારે સમય સુધી જીવાડવાનું મુશ્કેલ બને છે.
જેમને પિતૃદોષ હોય છે તેમના પરિવારમાં લગ્નમાં પણ અનેક સમસ્યાઓ આવે છે. કેટલાક લોકોના લગ્ન પણ થતા નથી.
પિતૃદોષના કારણે ઘર પરિવારમાં કોઈને કોઈ કારણે ઝઘડો થાય છે. પરિવારના સભ્યોમાં પણ મુશ્કેલીઓ રહે છે.
જો વારેઘડી લાંબા સમય સુધી કોર્ટ કે કચેરીના આંટા મારવા પડે તો પણ પિતૃદોષ કારણ હોઈ શકે છે.
પિતૃદોષના કારણે પરિવારનો કોઈને કોઈ સભ્ય હંમેશા બીમાર રહે છે. આ બીમારી પણ જલ્દી ઠીક થતી નથી.
ઘરમાં દીકરીઓના વિવાહમાં પણ મુશ્કેલી આવે છે. વિવાહમાં મોડું થઈ શકે છે અને ઈચ્છિત પરિવાર મળતો નથી.
શ્રાદ્ધપક્ષમાં પિતૃદોષથી મુક્તિ માટે કરી લો આ ઉપાયો
શ્રાદ્ધમાં બ્રાહ્મણને ભોજન કરાવો અથવા ભોજન સામગ્રી જેમાં લોટ, ફળ, ગોળ, ખાંડ, શાક અને દક્ષિણાનું દાન કરો.
શ્રાદ્ધ ન કરી શકો તો કોઈ નદીમાં કાળા તલ નાંખીને તર્પણ કરો. તેનાથી પિતૃદોષમાં રાહત મળે છે.
વિદ્નાન બ્રાહ્મણને એક મુઠ્ઠી કાળા તલનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.
શ્રાદ્ધમાં પિતૃઓને યાદ કરીને ગાયને ચારો ખવડાવો. તેનાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે.
સૂર્યને અર્ધ્ય આપીને પ્રાર્થના કરો કે તમે મારા પિતૃઓને શ્રાદ્ધના પ્રણામ પહોંચાડો અને તેમને તૃપ્ત કરો.