પિસ્તાની ખેતી ટ્રાયલ બેઝ ઉપર રાજસ્થાનમાં થયા પછી હવે કચ્છ સહિતના ખારા પાટામાં ખેતી કરતા ખેડૂતો પણ પિસ્તાની ખેતી માટે તૈયારીઓ કરી લીધી છે. પિસ્તાની ખેતીને 'લીલા સોના'ની ખેતી તરીકે ઓળખવામાં આવે છે. પિસ્તાની ખેતીમાં આવક ખૂબ રહેલી છે. એટલે હવે લોકો પિસ્તાની ખેતીને પ્રાયોગિક ધોરણે અપનાવવા તૈયાર થયા છે.
દેશમાં પિસ્તા આયાત કરવામાં આવે છે
કચ્છ, પાટણ, બનાસકાંઠાની જમીન પિસ્તાની ખેતી માટે અનૂકુળ
12 વર્ષે પાક તૈયાર થાય છે, આતંરરાષ્ટ્રીય બજારમા્ં છે માંગ
મોંઘા ડ્રાયફ્રૂટની ખેતી ઓછા પાણીમાં અને ક્ષારવાળી જમીનમાં સારી થાય છે એટલે કચ્છની જમીન પડતો હોય ત્યાં સારી રીતે થઈ શકે છે. તેથી કચ્છ, પાટણ, બનાસકાંઠાના રણ કાંઠાના વિસ્તાર શ્રેષ્ઠ છે. તેથી કચ્છના કેટલાંક ખેડૂતો ગાંધીનગર ખાતે ખેતીવાડીના અધિકારઓને મળવા માટે આવ્યા હતા. ત્યારે ખેતીવાડી અધિકારીએ તેમને ખેતી કરવા અંગે કિંમતી સલાહ આપી હતી. સારી રીતે ડ્રેઇન કરેલી કોઈ પણ પ્રકારની જમીનમાં થાય છે.
દેશમાં પ્રથમ વખત રાજસ્થાનમાં પિસ્તાની ખેતી કરવા માટે 2017માં પ્રયાસો થયા બાદ ગુજરાતમાં પણ પિસ્તાની ખેતી કરવાની તક ઊભી થઈ રહી છે. ઈરાનથી પિસ્તા પ્લાન્ટ લાવવાની તૈયારી વચ્ચે આ ખેતીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પિસ્તાનું ઉત્પાદન વિશ્વના 10 દેશોમાં થાય છે. જેમાં હવે ભારત પણ સામેલ થવા જઈ રહ્યું છે.
દેશમાં પિસ્તા આયાત કરવામાં આવે છે
વર્ષ 2001 માં, ભારતે 5680 મેટ્રિક ટન પિસ્તાની આયાત કરી હતી, જે 2017 માં 9000 મેટ્રિક ટન અને હાલ 10 હજાર ટન જેટલી આયાત થઈ છે. રૂ.500થી રૂ.700 કરોડના પિસ્તા આયાત થાય છે. ઈરાનમાં સૌથી વધુ 75 લાખ મેટ્રિક ટન છે. આ પછી, તુર્કી 1.50 લાખ ટનટન, ચીન 74 હજાર ટન, સીરિયા, યુએસએ સહિત 5 અન્ય દેશો છે. હવે તેમાં ભારત જોડાઈ રહ્યું છે.
પિસ્તાને નર્સરીમાં ઉગાડીને રોપવામાં આવે છે
પીએચ 7.0 થી 7.8 હોય એવી જમીન અનુકુળ આવે છે. આ વૃક્ષો સહેજ સખત હોય છે, પરંતુ મોટા પ્રમાણમાં ક્ષારની શક્તિને સહન કરે છે. દિવસમાં તાપમાન 36 ° સે અને ઠંડા મહિનામાં 7 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી વાંધો આવતો નથી. ઠંડીમાં ઝાડ સારી રીતે વધતાં નથી. છોડ નર્સરીમાં એક કે બે વર્ષ ઉગાડી ખેતરમાં રોપવામાં આવે છે.
કેવી જમીનમાં પિસ્તાની ખેતી સારી થશે
પિસ્તાની ખેતી માટે જમીનની સારી રીતે ખેડાણ, કાપણી અને લાઈન સીધી હોવી જોઈએ. જેથી સારી ખેડાણની સ્થિતિ પ્રાપ્ત કરી શકાય. જો માટી માં ૬-૭ ફૂટ ની લંબાઈ માં કોઈ કડક વસ્તુ છે. તો તેને તોડી દેવી જોઈએ. કેમ કે પીસ્તાના મૂળ ઊંડે સુધી જાય છે અને પાણીના ભરાવાથી પ્રભાવિત થાય છે.
જરૂરી હવામાન
પિસ્તા કે બદામને દિવસનું તાપમાન ૩૬ ડીગ્રી સેન્ટીગ્રેડ થી વધુ જોઈએ. તે ઠંડીના મહિનામાં ૭ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાન તેના યોગ્ય સમયગાળા માટે પુરતું છે. તેના ઝાડ વધુ ઊંચાઈ વાળા સ્થળ ઉપર ઠંડા તાપમાનને કારણે સારી રીતે વધી નથી શકતા.
ખેતીમાં વિકાસ
પિસ્તાના ઝાડ ઉગાડવા માટે અનુકુળ પીસ્તા રુટસ્ટોક દ્વારા છોડ રોપણી કરવામાં આવે છે. આ રુટ સ્ટોક કે છોડને નર્સરીમાં પણ ઉગાડી શકાય છે. સામાન્ય રીતે છોડ રોપણી નીચેના ભાગમાં કરવામાં આવે છે અને અંકુરિત ઝાડને આ વર્ષે કે આવતા વર્ષે ઉગાડી દેવામાં આવે છે.
છોડની રોપણી વખતે ઝાડ વચ્ચેનું અંતર
છોડ રોપણી માટે મોટો અને જરૂરી ખાડો ખોદવો જોઈએ, જેથી તેના મૂળ સારી રીતે તેમાં સમાઈ શકે. નર્સરી કે ડબ્બાની સરખામણી એ પીસ્તાના છોડને એક ઇંચ નીચે ઉગાડવા જોઈએ. અને જયારે વાત વાવેલા છોડ વચ્ચે અંતરની આવે છે. તો તે સિંચાઈ ઉપર આધાર રાખે છે. જો સિંચિત બાગ છે તો ગ્રીડ પેટર્ન માટે 6 મીટર ગણું 6 મીટરનું અંતર રાખવું જોઈએ.
એવા વિસ્તાર જ્યાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ નથી, ત્યાં છોડની વચ્ચે 8 મીટર ગણું 10 મીટર હોવું જોઈએ. પીસ્તા માટે નર અને માદાના ઝાડ ઉગાડવા જોઈએ અને તેનું પ્રમાણ 1: 8 (એક નર અને આઠ માદા ઝાડ) થી 1: 10 (1 નર અને 10 માદા ઝાડ)નું હોવું જોઈએ.
ટપક સિંચાઈ પધ્ધતિ
આમ તો પિસ્તા ના ઝાડ દુષ્કાળને સહન કરી લે છે. પરંતુ તેની જાળવણી જરૂરી ભેજ સાથે થવી જોઈએ. પાણી મેળવવા માટે ભીના ઘાંસનો ઉપયોગ એક ઉત્તમ રીત હોઈ શકે છે. પાણીનો સારી રીતિ ઉપયોગ થઇ શકે તેના માટે ડ્રીપ એટલેકે ટપક સિંચાઈનો ઉપયોગ કરી શકાય છે. અહિયાં પાણીના ભરવાથી પણ બચવું જોઈએ.
પિસ્તા માટે ખાતર
પિસ્તામાં ખાતર તરીકે નાઈટ્રોજનની જરૂર રહે છે. આમ તો છોડમાં પહેલા વર્ષે ઉર્વરકનો ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ ત્યાર પછી બીજા વર્ષથી કરી શકાય છે. પિસ્તાનાના છોડમાં 450 ગ્રામ અમોનિયમ સલ્ફેટનું પ્રમાણ બે ભાગમાં નાખવું જોઈએ. પછીના વર્ષોમાં પ્રતિ એકર 45 થી 65 કિલો વાસ્તવિક નાઇટ્રોજન (એન) ઉપયોગ કરવું જોઈએ. આવનારી ઋતુ દરમિયાન નાઈટ્રોજનને બે ભાગમાં વહેચીને ઉપયોગ કરવો જોઈએ.
ખેતીની કાર્યપ્રણાલી
પિસ્તાના ઝાડને બે રીતે તૈયાર કરવા જોઈએ કે તે સતત ઉપર તરફ વધતા જાય અને તેનો ઓપન વેસ શેપમાં વિકાસ થાય. ઝાડના મધ્ય ભાગને એવી રીતે ખુલ્લો રાખવો જોઈએ કે તે સૂર્યના પ્રકાશને ગ્રહણ કરી શકે. જેથી સારી રીતે ફૂલ ખીલી શકે અને ઉત્તમ ફળ લાગી શકે. એવી જરૂરત ચોથી કે પાંચમી ઠંડી ઋતુમાં પડી શકે છે. ઝાડને પાતળું રાખવા માટે બીજા પ્રકારની કે કામ સિવાયની ડાળીઓને કાપીને દુર કરી દેવી જોઈએ.
પાકની કાપણી લણણી
પિસ્તાના ઝાડ બદામ કે નટના ઉત્પાદન માટે ઘણો વધુ સમય લે છે. તેના અંકુરિત ઝાડ આવતા પાંચ વર્ષ સુધીમાં ફળ આપવા માટે તૈયાર થઇ જાય છે અને છોડ રોપણીના 12 વર્ષ પછીથી જરૂરી ફળ આપવાના શરુ કરી દે છે.
ફળ ક્યારે તૈયાર થાય
જયારે તેના ગોળા ઉપરથી ફોતરા ઉતરવા લાગે છે ત્યારે સમજી લેવું જોઈએ કે ફળ એકદમ તૈયાર થઇ ગયા છે. કાપણી દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે અને અવિકસિત કેરનલથી દુર રહેવું જોઈએ. છોડ રોપણીના 10 થી 12 વર્ષ પછી પિસ્તાના છોડ લગભગ 8 થી 10 કિલોનું ઉત્પાદન કરે છે.