અમદાવાદમાં પીરાણા અગ્નિકાંડ મામલે 4 મૃતકોનો મૃતદેહ હજુ સુધી તેમના પરિવારજનોએ સ્વીકાર્યો નથી.
અમદાવાદ પીરાણા અગ્નિકાંડનો મામલો
4 મૃતકોના મૃતદેહ હજુ પરિવારજનોએ સ્વીકાર્યા નથી
પરિવારજનોની 20 લાખ રૂપિયાની સહાય કરવાની માગ
અમદાવાદ પીરાણા અગ્નિકાંડનો મામલે 4 મૃતકોને મૃતદેહ હજુ પરિવારજનોએ સ્વીકાર્યો નથી. પરિવારજનોની 20 લાખ રૂપિયાની સહાયની માગણી કરી છે. નીતિન પરમાર, હિતેશ અને અન્ય દંપતીનો મૃતદેહ નથી સ્વીકારાયો.
પરિવારે 20 લાખના વળતરની માંગણી કરી
14 વર્ષના મૃતક હિતેશના પિતાએ VTV સમક્ષ વેદના ઠાલતા જણાવ્યું હતું કે,. પોતે લકવાના દર્દી હોવાથી ઘરનું ગુજરાન હિતેશ જ ચલાવતો હતો. ઘર ચલાવનાર એક માત્ર સહારો છીનવાઇ જતાં પરિવારે 20 લાખના વળતરની માંગણી કરી રહ્યું છે. આ અગ્નિકાંડમાં 12 લોકોના મોત થયા હતા અને ફેક્ટરીના માલિકોએ કોઈ પણ જાતના પરવાના નહોતા લીધા.