દરેક વ્યકિતને પોતાના જીવનમાં પૈસા કમાવવા હોય છે. પરંતુ અનેક પ્રયત્નો થતાં જીવમાં પૈસાનો અભાવ રહેતો હોય છે. જો તમારી સાથે પણ આવી જ કોઇ સમસ્યા હોય તો પછી અહીં જણાવેલ ઉપાય કરો તમારા જીવનમાં નાણાં સંબંધિત અવરોધો દૂર થઇ જશે.
પીપળાના વૃક્ષને હિન્દુ ધર્મમાં સૌથી ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આ પીપળાના પાંદડાને પૂજાથી લઇને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવામાં આવે છે. સ્કંદ પુરાણ અનુસાર પીપળાના મૂળમાં ભગવાન વિષ્ણુ વસે છે. તેથી જ પીપળાના ઝાડની પૂજા લાભદાયી ગણવામાં આવે છે.
પીપળાનો પાનનો આ પ્રયોગ છે કારગર:
સૌ પ્રથમ પીપળાનું અંખડિત પાન લો. તેને ગંગા પાણીથી સ્વચ્છ કરો. હવે તેના પણ જમણા હાથની ત્રીજા નંબરની આંગળી દ્વારા પીળા ચંદનથી પાંદડા પર સાથિયો બનાવો. આ પાંદડાને પૂજા સ્થળે મૂકો અને ઘી દીવો પ્રગટાવો. હવે કોઈપણ ગુરુવારે આ પાંદડા સામે ધ્યાન ધરી 41 વખત ‘નમો ભાગવતે શ્રી વિષ્ણુ રૂપ્યાય નમઃ’ નો જાપ કરો.
આ જાપ કર્યા બાદ પીપળાના પાંદડાને ઘરના દરવાજા અથવા ઘરની ઉત્તર બાજુની દિશામાં જમીન પર મૂકી દો. થોડાક જ દિવસોમાં તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ ધીરે ધીરે દૂર જવાનું શરૂ કરી દેશે.