2016માં ઈજિપ્ત એરનું એક વિમાન દુર્ઘટનાનું શિકાર થયુ હતુ. વિમાનમાં રહેલા બધા 66 પ્રવાસીઓના મોત થયા હતા. હવે ફ્રાન્સના એવિએશન નિષ્ણાંતની રિપોર્ટમાં દુર્ઘટનાનુ કારણ જણાવવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે પાયલટની સિગરેટની ટેવને પગલે દુર્ઘટના થઇ હતી.
2016માં ઈજિપ્ત એરનું એક વિમાન દુર્ઘટનાનું શિકાર થયુ હતુ
ફ્રાન્સના એવિએશન નિષ્ણાંતની રિપોર્ટમાં દુર્ઘટનાનુ કારણ સામે આવ્યું
પાયલટની સિગરેટની ટેવને પગલે દુર્ઘટના થઇ હતી
સિગરેટ સળગાવવાના કારણે થઇ દુર્ઘટના
પાયલટે સિગરેટ પ્રગટાવવા માટે લાઈટર પ્રગટાવ્યું હતું. લાઈટરમાંથી નિકળેલી ચિંગારીને પગલે કૉકપિટમાં આગ લાગી હતી. 134 પેજના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફ્લાઈટ સંખ્યા MS804ના પાયલટે કૉકપિટમાં એક સિગરેટ સળગાવી હતી. જેનાથી એક ઈમરજન્સી માસ્કમાંથી લીક થનારા ઑક્સિજનમાં આગ લાગી ગઇ. મેઈન્ટેનન્સ ઈજનેરોએ ઑક્સિજન માસ્કને નૉર્મલ રીતે ઈમરજન્સીમાં શિફ્ટ કર્યુ હતુ. માસ્કમાં ટેકનિકલ ખામી હતી. જેને પગલે તેનાથી ઑક્સિજન લીક થતો હતો. પાયલટ મોહમ્મદ સઈદ અલી શૉકેર દ્વારા સિગરેટ પીવાથી દુર્ઘટના થઇ. રિપોર્ટ મુજબ, ઈજિપ્તના પાયલટ નિયમિત રીતે કૉકપિટમાં ધુમ્રપાન કરતા હતા. 2016 સુધી એરલાઈન દ્વારા તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. રિપોર્ટને પેરિસની એક કોર્ટમાં મોકલવામાં આવ્યો છે.
મે 2016માં થઇ હતી દુર્ઘટના
મે 2016માં એરબસ એ 320 વિમાન પેરિસથી કાહિરા જઇ રહ્યાં હતા. આ રહસ્યમય પરિસ્થિતિઓમાં ક્રેતે દ્વીપની પાસે પૂર્વી ભૂમધ્ય સમુદ્રમાં દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. આ દુર્ઘટનામાં ઈજિપ્તના 40, ફ્રાન્સના 15, ઈરાકના 2, કેનેડાના 2 અને અલ્જીરિયા, બેલ્જિયમ, બ્રિટન, ચાડ, પુર્તગાલ, સાઉદી અરબ અને સુડાનના એક-એક પ્રવાસીનુ મોત થયુ હતુ. વિમાન 37,000 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું. આ કારપાથોસના ગ્રીક દ્વીપથી લગભગ 240 કિલોમીટર દૂર ગાયબ થયુ હતુ. દુર્ઘટના બાદ એક મોટુ તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. દરિયામાં ગ્રીસની પાસે વિમાનનુ બ્લેક બૉક્સ મળ્યું હતુ. દુર્ઘટના સમયે ઈજિપ્તના અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ દુર્ઘટના આતંકવાદી હુમલાને પગલે થઇ છે.