ઇરાકી શહેર કર્બલાનાં એક પ્રમુખ ધર્મસ્થળમાં ભાગદોડ દરમ્યાન અનેક શિયા શ્રદ્ધાળુઓનાં મોત નિપજ્યાં છે. મોહરમ દરમ્યાન ઘટેલી આ દુર્ઘટનામાં મરનારાઓની સંખ્યાનો આંકડો 31એ પહોંચી ગયો છે. આ સિવાય અનેક લોકો ભાગદોડ દરમ્યાન ઘાયલ થયાં છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દુર્ઘટનામાં અંદાજે 100 લોકો ગંભીર રૂપથી ઘાયલ થઇ ગયા છે. શ્રદ્ધાળુ આશૂરાનાં જુલૂસ તરફ વધી રહ્યાં હતાં ત્યારે ભારે ભાગદોડ મચી ગઇ હતી અને અંતે ભીડ બેકાબુ થઇ ગઇ હતી.
આખરે કેમ ઉજવાય છે આ મોહરમ?
મોહરમનાં દિવસે અહીં હજારો લોકો આ પવિત્ર શહેરમાં શામેલ થવા ભેગાં થયા હતાં. જે જગ્યાએ આ દુર્ઘટના ઘટી તે જગ્યા બગદાદથી 80 કિ.મીનાં અંતર પર સ્થિત છે. મોહરમનાં 10માં દિવસને રોજ-એ-આશુરા કહે છે. જે સૌથી મહત્વનો દિવસ હોય છે. 1400 વર્ષ પહેલાં મોહરમનાં મહીનાની 10 તારીખનાં રોજ ઇમામ હુસૈનને શહીદ કરવામાં આવ્યાં હતાં. તેની યાદમાં જ મોહરમની 10 તારીખનાં રોજ તાજિયા નીકાળવામાં આવે છે.
હાલમાં અશુરા જુલૂસો પર ચરમપંથી સુન્ની આતંકવાદીઓ દ્વારા હુમલો કરવાનાં અનેક એવાં મામલાઓ સામે આવ્યાં છે. મંગળવારનાં રોજ બધુ બરાબર ચાલી રહ્યું હતું ત્યારે અચાનક એક રસ્તો ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ત્યારે થઇ કે જ્યારે લોકો ઇમામ હુસૈનનાં મકબરા તરફ આગળ વધી રહ્યાં હતાં.
ઇમામ હુસૈન અને તેમનાં 72 સાથીઓની કુરબાનીની યાદમાં જ મોહરમ મનાવવામાં આવે છે. મોહરમ શિયા અને સુન્ની બંને સમુદાયનાં લોકો મનાવે છે. જો કે, આને મનાવવાની રીત બંને સમુદાયોમાં અલગ-અલગ હોય છે.