દેશમાં ચાલી રહેલા મંદિર મસ્જિદ વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે જેમાં દેશની 100 વર્ષ જૂની સૌથી મોટી મસ્જિદોનો સર્વે કરવાની માંગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી
દેશની 100 વર્ષ જૂની સૌથી મોટી મસ્જિદોનો સર્વે કરવાની માંગ
પુરાતત્વ ખાતાને અથવા કોઈ સંસ્થાને તપાસ કરવા આપે કોર્ટ
દેશમાં ચાલી રહેલા મંદિર મસ્જિદ વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે જેમાં માંગ કરવામાં આવી છે કે દેશની 100 વર્ષ જૂની સૌથી મોટી મસ્જિદોનો સર્વે કરવામાં આવે અને તેના માટે ભારતીય પુરાતત્વ ખાતાને આદેશ જાહેર કરવામાં આવે.
ભારતીય પુરાતત્વ ખાતાને સર્વે સોંપવા માંગ
આ જનહિતની અરજીમાં માંગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ ભારતીય પુરાતત્વ ખાતાને અથવા કોઈ સંસ્થાને આદેશ આપે કે આ તમામ મસ્જિદનો સર્વે કરવામાં આવે અને આ સિવાય 100 વર્ષથી વધારે જૂની મસ્જિદોમાં તળાવો અને કૂવાઓ વગેરેની હાજરીની તપાસ કરવામાં આવે. આ તમામ સર્વેને ગુપ્ત રાખવામાં આવે અને જો કોઈ અવશેષ મળે તો તેને સાંપ્રદાયિક ધૃણા અને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાથી બચાવી શકાય એ રીતે અલગ કરી દેવામાં આવે.
અરજીમાં કરવામાં આવી માંગ
આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે મધ્યકાલીન યુગમાં મુસ્લિમ આક્રમણકારીઓએ હિન્દુ, જૈન, સિખ અને બૌદ્ધ મંદિરોને અપવિત્ર કરી દીધા હતા. સાથે તેને તોડીને મસ્જિદો બનાવી દીધી હતી. આ કારણે પ્રાચીન પૂજા સ્થળોમાં ઘણા બધા દેવી દેવતાઓના અવશેષો મળશે. જો ઇસ્લામ સિવાયના અન્ય ધર્મોના હશે તો આપસમાં સહયોગથી મસ્જિદોમાં હાજર તમામ અવશેષોનું સન્માન કરવામાં આવશે અને પ્રાચીન ધાર્મિક અવશેષોની સારસંભાળ કરવામાં આવશે. અને તેના સ્થાનાંતર માટે પ્રયાસ કરવામાં આવશે.
કોણે કરી હતી અરજી?
જાહેર હિતની આ અરજી દિલ્હી-NCR ના એડવોકેટ શુભમ અવસ્થી અને સપ્તર્ષિ મિશ્રાએ કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં તળાવ/કૂવો અને એક શિવલિંગ મળી આવ્યું હતું. આ અરજીમાં 100 વર્ષથી વધારે જૂની મસ્જિદોના તળાવો અને કૂવાઓથી વજુ કરવાને સ્થળાંતરીત કરવાની માંગ કરવામાં આવી છે.