પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ દ્વારા સરકારી આવાસ છોડતી વખતે તેમાં લાગેલા કિંમતી સામાન ઉખાડીને લઈ જવાથી થયેલા નુક્શાનની તપાસની માંગને લઈ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.
હાઈકોર્ટ તેના પર 3 જુલાઈએ સુનાવણી કરશે. અરજી મેરઠના રાહુલ રાણા અને લોકોએ દાખલ કરી છે. શુક્રવારે તેના પર ન્યાયમૂર્તિ વીકે નારાયણ તેમજ ન્યાયમૂર્તિ રાજીવ ગુપ્તાની સમર બેન્ચે સુનાવણી કરી.
મહાધિવક્તા અજીત કુમાર સિંહે કોર્ટને જણાવ્યુ કે રાજ્ય સરકારે પૂર્વ મુખ્યમંત્રીના બંગલામાં સરકારી એજન્સીઓ ઉપરાંત પ્રાઈવેટ એજન્સીઓ પાસે કરાવવામાં આવેલા કામની તપાસ કરી નુક્સાનને શોધવાનો આદેશ આપ્યો છે.
પૂર્વ મુખ્યમંત્રીના આવાસને ખાલી કરતા સમયે સંપત્તિને થયેલા નુક્સાનનું આંકલન કર્યા બાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેઓનું કહેવું છે કે સરકારી બંગલામાં પ્રાઈવેટ એજન્સી પાસેથી કામ કરાવવું અવૈધનિક છે. અને તેને ઉખાડીને લઈ જવું અપરાધિક છે.