હિન્દુ ધર્મ અને જ્યોતિષ-વાસ્તુ શાસ્ત્રમાં પ્રાણીઓ અને પક્ષીઓને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવ્યાં છે. ઘરમાં કેટલાંક ખાસ જીવોનુ હોવુ અથવા આવવુ સૌભાગ્ય-દુર્ભાગ્ય આવવાનો સંકેત આપે છે.
કબૂતરને શાંતિનુ પ્રતીક માનવામાં આવે છે
ઘરમાં કબૂતર આવતા આપે છે આ મહત્વના સંકેત
ધર્મ શાસ્ત્રોમાં કબૂતરને માં લક્ષ્મીનુ ભક્ત માનવામાં આવ્યું છે
કબૂતર ઘરમાં આવતા કેવા સંકેત આપે છે?
ધર્મ શાસ્ત્રોમાં કેટલીક ઘટનાઓને ખૂબ મહત્વની માનવામાં આવી છે. આ ઘટનાઓ ધન-દોલત, માન-સન્માન, આરોગ્ય, સૌભાગ્ય-દુર્ભાગ્ય સાથે જોડાયેલા મહત્વના સંકેત આપે છે. દરરોજની ઘટનાઓ પર મળતા સંકેતો પર આખુ શકુન શાસ્ત્ર લખવામાં આવ્યું છે. આજે અમે શકુન શાસ્ત્રમાં પશુ-પક્ષીઓ સાથે જોડાયેલા સંકેતો પર વાત કરીએ છીએ. જેમાં કબૂતરનો મુખ્ય રીતે સમાવેશ થાય છે. કબૂતરને શાંતિનુ પ્રતીક માનવામાં આવે છે, આ સાથે ધર્મ શાસ્ત્રોમાં કબૂતરને માં લક્ષ્મીનુ ભક્ત માનવામાં આવ્યું છે. આવો જાણીએ કે માં લક્ષ્મીના ભક્ત કબૂતર ઘરમાં આવતા કેવા સંકેત આપે છે.
કબૂતરથી મળતા શુભ-અશુભ સંકેત
કબૂતરનો ઘરમાં આવવાનો અર્થ: શકુન શાસ્ત્રમાં ઘરમાં કબૂતરનુ આવવુ શુભ માનવામાં આવ્યું છે. જો ઘરની છત- બાલકની પર કબૂતર આવે તો તેને દાણા અવશ્ય નાખો. આમ કરવુ તમારા જીવનના સંકટ-અડચણો દૂર કરે છે અને જીવનમાં સૌભાગ્ય લાવે છે.
ઘરમાં કબૂતરનો માળો બનાવવાનો અર્થ: કબૂતરનો ઘરમાં માળો બનાવવો અશુભ માનવામાં આવે છે. ઘણી વખત કબૂતર ઘરની બાલકની અથવા છત પર માળો બનાવે છે. આમ થવુ સારું નથી. કબૂતર ઘરમાં માળો બનાવે તો તેનાથી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે, આ સાથે આરોગ્ય સંબંધી સમસ્યાઓ પણ આપે છે. સારું રહેશે કે માળો જલ્દી હટાવી દો.
કબૂતરનુ ઘરની અંદર આવવુ: જો કબૂતર ઘરની છત-બાલકની પાર કરીને અંદર પ્રવેશ કરે તો આ માં લક્ષ્મીની કૃપા થવાનો સંકેત છે. આ જણાવે છે કે તમારા જીવનમાં વધુ સુખ-સમૃદ્ધી આવવાની છે. આમ થવાથી કબૂતરને દાણા અવશ્ય નાખો. પરંતુ કબૂતરને ઘરમાં માળો ના બનાવવા દો.