ઈરફાન ખાન બાદ ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કહી દીધું છે. ત્યારે હવે ઋષિ કપૂરની અંતિમ યાત્રાની તૈયારીઓ સવારથી જ શરૂ કરી દેવાઈ હતી. ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર સહાની જે દીલ્હીમાં હતી તેની રાહ જોવામાં રહી હતી પરંતુ તે પહોંચી શકી ન હતી. તેણે દિલ્હી સરકારની પરમિશન લઈ લીધી છે અને તે મુંબઈ આવવા રવાના થઈ હતી. જો કે રિશી કપૂરના અંતિમ સંસ્કાર પરિવારજનોની હાજરીમાં ચંદનવાડી સ્મશાનગૃહ ખાતે 30 મિનિટમાં કરી દેવાયા હતાં.
કોણ રહ્યું હાજર?
બપોરે 3.45 વાગ્યે તેમનો પાર્થિવ દેહ સ્મશાન ઘાટ પહોંચ્યો હતો. ત્યાર બાદ તેમના અંતિમ સંસ્કાર પરિવારજનોની હાજરીમાં કરાયા હતાં. આ દરમ્યાન પોલીસે નીતૂ કપૂર, રીમા જૈન, મનોજ જૈન, અરમાન જૈન, આદર જૈન, અનીષા જૈન, રાજીવ કપૂર, રણધીર કપૂર, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, બિમલ પરીખ, નતાશા નંદન, અભિષેક બચ્ચન, ડૉક્ટર તરંગ, આલિયા ભટ્ટ, અયાન મુખર્જી, જય રામ, રોહિત ધવન, રાહુલ રવૈલને હાજર રહેવાની પરમિશન આપી હતી.
દીકરી રિદ્ધિમાં પહોંચી ન શકી
જો કે દિલ્હીમાં રહેતી રિદ્ધિમા કપૂર સહાનીને તંત્ર તરફથી મુંબઈ જવાની પરવાનગી મળી ગઈ હતી પરંતુ તે પહોંચી શકી નહોતી. રિદ્ધિમાં સહિત ભરત સાહની, સમારા સાહની, અક્ષય સાહની, દગલક્ષ્મી રાય મુંબઈ આવવા માટે રવાના થઈ ચૂક્યાં છે.
ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર મુંબઈના મરીન લાઈન્સ ચંદનવાડી સ્મશાન ઘાટમાં થશે. સ્મશાન ઘાટની અંદર અને બહાર પોલીસે કડક બંદોબસ્ત કર્યો છે. આ દરમિયાન માત્ર 20 લોકો જ અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકશે. જ્યારે ઋષિ કપૂરના પરિવાર તરફથી પણ લોકોને કાયદાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આ અગાઉ શમ્મી કપૂરના પણ આ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર આપવામાં આવ્યાં હતા.
તમને જણાવી દઈએ કે, લોકડાઉન અને સોશિયલ ડિસ્ટસિંગના નિયમોને કારણે હોસ્પિટલમાં લોકોની ભીડ એકઠી ન થાય તે માટે મુંબઈ પોલીસ ખાસ તકેદારી રાખી રહી છે અને લોકોને ત્યાં આવવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. એવામાં માત્ર પરિવારજનોને જ હોસ્પિટલમાં રહેવાની પરવાનગી મળી છે. જ્યારે રિપોર્ટ્સ મુજબ ઋષિનું શબ હોસ્પિટલથી સીધું સ્મશાને લઈ જવામાં આવશે.
કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, રાજીવ કપૂર, રણબીર કપૂર, નીતૂ કપૂર, રણધીર કપૂર અને આલિયા ભટ્ટ હોસ્પિટલમાં છે. આ મુશ્કેલ ઘડીમાં પરિવાર સિવાય અભિષેક બચ્ચનને હોસ્પિટલમાં રોકાવાની પરમિશન મળી છે.