દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના કહેર વચ્ચે લૉકડાઉનને લઈને પણ ચર્ચાઓ જામી છે. કેટલાક શહેરોમાં નાઇટ કર્ફ્યૂ છે તો ક્યાં લૉકડાઉન લગાવવાની નોબત આવી છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેસેજ
ભારતમાં 15થી30 એપ્રિલ સુધી લૉકડાઉન હોવાની કરાઇ વાત
PIBની તપાસમાં ફેક મેસેજ હોવાનો થયો ખુલાસો
આ તમામ બાબતો વચ્ચે સોશિયલ મીડિયામાં એક સમાચાર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકાર આગામી 15થી 30 એપ્રિલ દરમિયાન દેશભરમાં લૉકડાઉન લગાવવાની છે. આ સમાચાર વિશે PIB દ્વારા ફેક્ટ ચેક કરવામાં આવ્યું હતું.
વાયરલ થયો મેસેજ
ઉલ્લેખનીય છે કે, આ તસવીરમાં લખ્યું છે કે, આગામી 15થી30 એપ્રિલ દરમિયાન સમગ્ર દેશમાં ટોટલ લૉકડાઉન રહેશે. તો બીજી તરફ સરકારે આ સમાચારને ફેક ગણાવ્યા છે અને આવી ભ્રામક વાતોથી જનતાને સાવધ રહેવાની અપીલ કરી છે.
एक #Morphed तस्वीर में दावा किया जा रहा है कि भारत सरकार द्वारा 15 से 30 अप्रैल तक देश भर में लॉकडाउन लगाया जाएगा। #PIBFactCheck: यह दावा #फर्जी है। भारत सरकार द्वारा #लॉकडाउन के संबंध में ऐसी कोई घोषणा नहीं की गई है। कृपया ऐसी भ्रामक तस्वीरों या संदेशों को साझा न करें। pic.twitter.com/gnRpyDcMRf
PIBએ મેસેજ અંગે તપાસ કરી તો વાયરલ થયેલો મેસેજ Morphed હોવાનું સામે આવ્યું છે. ભારત સરકાર દ્વારા લૉકડાઉન સંબંધિત કોઇ જ જાહેરાત કરવામાં આવી નથી. આવી જાણકારીથી બચવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવે છે.
કોરોનાકાળમાં ફેક ન્યૂઝ થઇ રહ્યા છે વાયરલ
જણાવી દઇએ કે, દેશભરમાં જે રીતે કોરોનાની સ્થિતિ છે તેવી જ રીતે ફેક સમાચાર ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. ભારત સરકારની પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો આ પ્રકારની વાયરલ ખબરનું ખંડન કરે છે અને જણાવે છે કે, સરાક દ્વારા આવો કોઇ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.