ફેંગશુઇ અથવા વાસ્તુ અનુસાર ઘરમાં રાખેલી ચીજોના સ્થાનથી બિઝનેસમાં ફાયદો મળે છે. અને ઘરની આવક કાયમ રહે છે. પરંતુ ઘરમાં ચીજો ફેંગશુઇ અનુસાર નથી તો ઘરમાં બધા સભ્યોને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. મહેનત કરવા છતાં પણ પૈસા ટકતા નથી.
જો તમારે પૈસાની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે અથવા ઘરમાં ભગવાનની મહેરબાની થઇ રહી નથી તો અમે તમને જણાવી રહ્યા છીએ ફેંગશુઇ અનુસાર પાણીનું સ્થાન ક્યા છે જેનાથી ઘરના લોકોને ફાયદો મળશે.
ઘરમાં બરકત બનાવી રાખવા માટે પાણીના શો પીસ અથવા ફોટાને બાલકનીમાં રાખવો જોઇએ. એનાથી ઘરમનાં ખરાબ નજર અને નકારાત્મક ઊર્જા પ્રવેશ કરી શકતી નથી. ઘરના લોકોની બરકત બની રહે છે.
પાણીથી ભરેલા વાસણને ઘરની પૂર્વ અને ઉત્તરમાં રાખવા જોઇએ. આવું કરવાથી ઘરના લોકોનો ખરાબ સમય ખતમ થઇ જાય છે અને દરેક કામમાં એમને સફળતા પ્રાપ્ત થાય છે.
કિચનમાં પાણીથી સંબંધિત ચીજો રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે. ઘરના લોકોની આવક પર અસર પડે છે.
કિચનમાં પાણીના શો પીસ પાવાથી ઘરમાં ઝઘડા લડાઇ અને ક્લેશ વધે છે.
જો તમારા ઘરમાં ગાર્ડન છે અથવા વોટરફોલ લાગેલો છે અથવા લગાવવા ઇચ્છો છો તો ધ્યાનમાં રાખો કે વોટરફોલ ઘરની દિશામાં હોવો જોઈએ. જેાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત વધશે. વોટરફોલ ક્યારેય ઘરની બહાર તરફ હોવો જોઇએ નહીં.