મધ્યપ્રદેશના શહડોલમાં શુક્રવારે મોડી રાતે મોટો માર્ગ અકસ્માત થતાં આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના
જાનૈયા ભરેલો ટેમ્પો પલટી જતાં 5 લોકોના મોત
30થી વધુ ઈજાગ્રસ્ત
42 જાનૈયાઓથી ભરેલી પીકઅપ પલટી જતાં 5 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ પીકઅપમાં બેસીને જાનૈયાઓ જયસિંહગરના ડોહકા ગામથી દેવલોંદ જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં 30 થી વધુ ઘાયલ થયા છે, જેમાંથી દસની હાલત ગંભીર છે. આ ઘટના બૌહારી પોલીસ સ્ટેશન વિસ્તારના તહકી ગામ પાસે બની હતી.
शहडोल में बारातियों से भरा वाहन पलटने से कई अनमोल जिंदगियों के निधन का दु:खद समाचार प्राप्त हुआ।
दिवंगतों को ईश्वर से अपने श्री चरणों में स्थान देने एवं परिजनों को यह दुख सहन करने की शक्ति प्रदान करने की प्रार्थना है। घायलों के शीघ्र स्वास्थ्य लाभ की कामना करता हूं: CM
— CMO Madhya Pradesh (@CMMadhyaPradesh) June 18, 2022
4 લોકોના ઘટના સ્થળે જ મોત
ભયાનક અકસ્માતને પગલે 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. તમામ ઇજાગ્રસ્તોને નજીકની બ્યોહારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની માહિતી મળતા જ એડીજીપી ડીસી સાગર, કલેક્ટર વંદના વૈદ્ય સહિત તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
મુખ્યમંત્રીએ વ્યક્ત કરી સંવેદના
આ ભયાનક અકસ્માત પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે CMOના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરતા કહ્યું કે- 'શહડોલમાં જાનૈયાથી ભરેલું વાહન પલટી જવાને કારણે અનેક કિંમતી જીવોના નિધનના સમાચાર મળ્યા છે. પરમાત્મા દિવંગતને પોતાના ચરણોમાં સ્થાન આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું.
ચીસોથી ગુંજી ઉઠ્યું વાતાવરણ
આપને જણાવી દઈએ કે, અહીં અકસ્માત થતાં જ લોકો ચીસો પાડવા લાગ્યા હતા. આ અવાજ સાંભળીને સ્થાનિક લોકો સ્થળ પર એકઠા થઈ ગયા અને ઘાયલોને મદદ કરી. ઘાયલો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પછી કોઈક રીતે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક સ્થાનિક લોકો કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી રહ્યા હતા ત્યારે તેમાંથી 4 લોકોના મોત થયા હતા. લોકોએ જણાવ્યું કે રાત્રિના કારણે તેઓ સમજી શક્યા નહીં કે અકસ્માત કેવી રીતે થયો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘટનાની તપાસ શરૂ કરી હતી.