ટ્રેનમાં સ્લીપર કોચમાં સફર કરતા પ્રવાસીઓ પાસેથી રેલવે 10 ટકા વધુ રકમ વસૂલશે તેવો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે ખરેખર ખોટો હોવાનું સામે આવ્યું છે.
રેલવેના નામથી વાયરલ થયો મેસેજ
સ્લીપર કોચમાં સફર કરતા પ્રવાસીઓ પાસેથી રેલવે 10 ટકા વધુ રકમ વસૂલશે હોવાની વાત
ફેક્ટ ચેકમાં વાયરલ મેસેજના દાવો પડ્યો ખોટો
ઉલ્લેખનીય છે કે, મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતીય રેલવે પોતાની સિસ્ટમમાં કેટલાક મહત્વના ફેરફાર કરવા જઈ રહી છે જેમાં સ્લીપર કોચમાં મુસાફરી કરતા પ્રવાસીઓ પાસેથી વધુ રકમ વસૂલવામાં આવશે તેવો દાવો કરાઇ રહ્યો છે જે અસલમાં ખોટો હોવાનું સામે આવ્યું છે.
વાયરલ થયો મેસેજ
વાયરલ થયેલ રિપોર્ટ અનુસાર, જે પ્રવાસીઓ સ્લીપર કોચમાં સફર કરનારા પ્રવાસીઓ પાસેથી 10 ટકા વધુ રકમ વસૂલવામાં આવશે. જો કે, ભારતીય રેલવે દ્વારા આ પ્રકારની કોઇ જ યોજના નથી.
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયની એજન્સી પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોના ફેક્ટ ચેક પ્રમાણે સત્ય શું છે તે બતાવવામાં આવ્યું હતું.
પીઆઇબીના દાવામાં વાયરલ મેસેજ ખોટો હોવાનો ખુલાસો
પીઆઇબીએ આ વિશે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો કે, જે પ્રવાસીઓ સ્લીપર કોચમાં સફર કરવાના છે તેમની પાસેથી રેલવે 10 ટકા વધુ રકમ વસૂલ કરી શકે છે. આ દાવો ભ્રામક છે. રેલવે બોર્ડ દ્વારા આપવામાં આવેલ સૂચન હતું મંત્રાલયે સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરી નથી.