કોરોનાના વધતા કેસની વચ્ચે અફવા ઉડી રહી છે કે દેશના દરેક નાગરિકોને મફતમાં 7,500 રૂપિયા મળી રહ્યાં છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Whatsapp પર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશના દરેક નાગરિકને 7,500 રૂપિયાનું રિલીફ ફંડ આપવામાં આવી રહ્યું છે. વાયરલ મેસેજમાં દાવા કરવામાં આવ્યો છેકે FG Lockdown Funds લોકો માટે રિલીફ ફંડ આપી રહ્યું છે. લોકોને પૈસા આપવામાં આવી રહ્યાં છે.
મફતમાં 7,500 રૂપિયા મેળવવાની ઓફર
વાયરલ મેસેજમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે કે FG લોકડાઉન ફંડથી લોકોને 7,500 રૂપિયા મફતમાં આપવામાં આવી રહ્યાં છે. FGએ મફતમાં રૂપિયાની વહેંચણી કરવાની મંજૂરી આપી છે. મફતમાં રિલીફ ફંડ મેળવવા માટે એક લિંક આપવામાં આી છે.
જેમાં 7,500 રૂપિયાનો દાવો કરવાનો રસ્તો બતાવ્યો છે. લિંક પર ક્લિક કરી દાવો કરનારા લોકોને પોતાની અંગત જાણકારી આપવી પડશે. જેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ થોડા સમય માટેની જ ઓફર છે અને રૂપિયા મેળવવા જલ્દી કરો.
જો કે પત્રકાર ઇન્ફોર્મેશન બ્યૂરોની ફેક્ટચેક એકમને આ મેસેજને ખોટો બતાવ્યો છે. પીઆઇબીએ ટ્વિટ કરી કહ્યું છે કે આપવામાં આવેલ લિંક એક Clickbait છે. આવી ખોટી વેબસાઇટ અને વોટસએપતી સાવધાન રહેવું.
Claim- A whatsapp viral message claims to offer free Rs 7500 relief fund to each citizen.#PIBFactcheck: #Fake. The fraud link given is a Clickbait. Beware of such Fraudulent websites and whatsapp forwards. pic.twitter.com/qvaeDODsWk
પીઆઇબી ફેક્ટ ચેક (PIB Fact Check) માં આ વાયરલ મેસેજ ખોટો સાબિત થયો છે. આવા મેસેજથી સાવધાન રહેવું જોઇએ, નહીં તો તમને મોટું નુકસાન થઇ શકે છે.
આ સાથે એક અન્ય મેસેજ વાયરલ થઇ હ્યો છે જેમાં કોલેજના વિદ્યાર્થીઓને 10,000 રૂપિયાની સ્કૉલરશિપ આપવામાં આવી રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર નેશનલ સ્કૉલશિપ 2020 હેઠળ કોલેજોના વિદ્યાર્થીઓને 10 હજાર રૂપિયાની સ્કૉલરશિપ આપી રહી છે.