જુની પેન્શન સ્કીમ સરકાર ફરી લાગુ પાડવા જઈ રહી છે તેવો એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા સરકારને ખુલાસો આપવો પડ્યો છે.
મોદી સરકાર જુની પેન્શન સ્કીમ લાગુ પાડી રહી છે તેવો મેસેજ વાયરલ થયો
વાયરલ મેસેજ પર સરકારી એજન્સી પીઆઈબીએ આપ્યો જવાબ
મેસેજ ફેક હોવાનું જાહેર કરતું કર્યું ટ્વિટ
સોશિયલ મીડિયા પર જાતજાતના અફવા ફેલાતી હોય છે જેને કારણે લોકો ગેરમાર્ગે દોરવાતા હોય છે અને સરકારે સામે ચાલીને ખુલાસો આપવો પડતો હોય છે. જૂની પેન્શન યોજના અને નેશનલ પેન્શન સ્કીમ વિશેનો એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 29 મે, 2022ના રોજ મોદી સરકારની કેબિનેટ બેઠક મળી હતી જેમાં સરકારે નિર્ણય લીધો છે કે એનપીએસ પાછી ખેંચી લેવામાં આવશે. અને કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકારના કર્મચારીઓ માટેની જૂની પેન્શન યોજનાને ફરીથી બહાલ કરવામાં આવશે જે 2004 માં રદ કરવામાં આવી હતી.
A message doing the rounds on Social Media regarding a Cabinet meeting held on 29 May 2022 is wrong, misleading and baseless.#PIBFactCheck
▶️ This WhatsApp forward is FAKE
▶️ No such decision or proposal is under consideration by GoI. pic.twitter.com/jD9cEosRvK
પીઆઈબીએ વાયરલ મેસેજ પર કર્યું ફેક્ટચેક
પીઆઈબીએ વાયરલ મેસેજની સત્યતા જાણવા માટે ફેક્ટ ચેક કર્યું છે. આ વાયરલ મેસેજને પણ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે (વાયરલ મેસેજની ફેક્ટ ચેક).
મેસેજ ફેક હોવાનું પીઆઈબીએ જાહેર કર્યું
પીઆઈબીએ ટ્વીટ કર્યું હતું કે પીઆઈબીએ તેના ટ્વિટર હેન્ડલ પર સંદેશની તથ્ય તપાસ કરી છે. પીઆઈબી ફેક્ટચેક અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે કેબિનેટની બેઠક 29 મે, 2022 ના રોજ મળી હતી, તે ભ્રામક છે અને ખોટું હોવાને કારણે સંપૂર્ણપણે પાયાવિહોણું છે. પીઆઈબીના જણાવ્યા અનુસાર, ફોરવર્ડ વોટ્સએપ મેસેજ સંપૂર્ણપણે ફેક છે. આવી કોઈ દરખાસ્ત સરકારની વિચારણા હેઠળ નથી.
સોશિયલ મીડિયા પર આવો મેસેજ ફેલાયો
કર્મચારીઓના કલ્યાણને ધ્યાનમાં રાખીને સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. વાયરલ મેસેજ અનુસાર નાણામંત્રીએ આશ્વાસન આપ્યું છે કે, 2004ના અંત બાદ જે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી અથવા જૂની પેન્શન યોજના બાદ જે પણ કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી, તેમને પેન્શન આપવા માટે જરૂરી ફંડ આપવામાં આવશે. મેસેજ મુજબ એનપીએસમાં કર્મચારીઓ પાસેથી પૈસા લઈને રિટાયરમેન્ટ બાદ તેમને પેન્શન તરીકે પરત કરવા ખૂબ જ ખોટું છે. વાયરસ સંદેશમાં એમ પણ લખવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર હેઠળના તમામ વિભાગોને વિનંતી કરવામાં આવે છે કે રાજકી. ફંડ પર વધારાના ભારણની સમીક્ષા કર્યા બાદ રિપોર્ટ તૈયાર કરીને 25 ઓગસ્ટ 2022 સુધીમાં ડીઓપીટી અને નાણા મંત્રાલયને મોકલી શકાશે જેથી 2023થી તેનો અમલ થઈ શકે.
શું કહેવાયું વાયરલ મેસેજમાં
વાયરલ મેસેજમાં એવું કહેવાયું હતું કે કર્મચારીઓના કલ્યાણને ધ્યાનમાં રાખીને સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. વાયરલ મેસેજ અનુસાર નાણામંત્રીએ આશ્વાસન આપ્યું છે કે, 2004ના અંત બાદ જે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી અથવા જૂની પેન્શન યોજના બાદ જે પણ કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી, તેમને પેન્શન આપવા માટે જરૂરી ફંડ આપવામાં આવશે. મેસેજ મુજબ એનપીએસમાં કર્મચારીઓ પાસેથી પૈસા લઈને રિટાયરમેન્ટ બાદ તેમને પેન્શન તરીકે પરત કરવા ખૂબ જ ખોટું છે. વાયરસ સંદેશમાં એમ પણ લખવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર હેઠળના તમામ વિભાગોને વિનંતી કરવામાં આવે છે કે રાજકી. ફંડ પર વધારાના ભારણની સમીક્ષા કર્યા બાદ રિપોર્ટ તૈયાર કરીને 25 ઓગસ્ટ 2022 સુધીમાં ડીઓપીટી અને નાણા મંત્રાલયને મોકલી શકાશે જેથી 2023થી તેનો અમલ થઈ શકે.
ફેક છે વાયરલ મેસેજ-પીઆઈબી
સોશિયલ મીડિયા પર જૂની પેન્શન યોજનાને ફરીથી શરૂ કરવાનો સંદેશ પણ નકલી છે કારણ કે 29 મે, 2022 રવિવાર હતો અને તે દિવસે કેબિનેટની કોઈ બેઠક મળી ન હતી.