સોશ્યલ મીડિયા પર એક ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે જેમાં દાવો કરાયો છે કે સરકાર નોન ગેઝેટેડ રેલ્વે કર્મચારીઓને બોનસ આપશે. આ ન્યૂઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ખબરના આધારે સરકાર 2019-20માં નોન ગેઝેટેડ રેલ્વે કર્મચારીઓને પ્રો઼ક્ટિવિટી લિંક્સ બોનસ આપશે. આ પહેલાં પણ એક ખોટા ન્યૂઝ વાયરલ થયા હતા તેમાં કહેવાયું છે કે રેલ્વે આ વર્ષે પોતાના કર્મચારીઓને સેલેરી નહીં આપે. તો જાણો શું છે આ ખબરની સચ્ચાઈ...
નોન ગેઝેટેડ રેલ્વે કર્મચારીઓને બોનસ આપશે સરકાર
સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ન્યૂઝ
જાણો વાયરલ ન્યૂઝની સચ્ચાઈ
શું છે સચ્ચાઈ
આ ન્યૂઝની સચ્ચાઈ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે આ ન્યૂઝ ખોટા છે. તેની સાથે જોડાયેલી કોઈ પણ જાહેરાત વેબસાઈટ પર આપવામાં આવી નથી, જ્યારે પીઆઈબીની તરફથી પણ આ વાતની ખાતરી કરવામાં આવી છે કે રેલ્વે મંત્રાલયે એવો કોઈ આદેશ જાહેર કર્યો નથી. આથી કહી શકાય છે કે આ ન્યૂઝ ખોટા છે.
Claim: An order purportedly issued by @RailMinIndia claiming that government will give Productivity Linked Bonus to eligible non-gazetted railway employees in 2019-2020 is making the rounds of social media. #PIBFactCheck: This claim is #Fake. No such order has been issued. pic.twitter.com/3FfTMOasAt
આ પહેલાં પણ એક અન્ય ન્યૂઝ વાયરલ થયા હતા, જેમાં કહેવાયું હતું કે રેલ્વે આ વર્ષે કર્મચારીઓને સેલેરી આપશે નહીં. આર્થિક નુકસાનના કારણે રેલ્વેએ આ મોટો નિર્ણય લીધો છે. આ દાવો પણ ખોટો સાબિત થયો હતો.
ભારતીય રેલ્વેનું કરાઈ રહ્યું છે ખાનગીકરણ
એક અન્ય ન્યૂઝ પણ વાયરલ થયા હતા. તેમાં કહેવાયું હતું કે ભારતીય રેલ્વે સંપૂર્ણ રીતે ખાનગીકરણ કરાઈ રહ્યું છે. ખાનગીકરણની પ્રક્રિયામાં નોકરીઓ ઘટવાની સાથે રેલ્વેનું ખાનગીકરણ કરાયું છે. ભારત સરકારની અધિકૃત સાઈટ ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું છે કે ભારતીય રેલ્વેએ ખાનગીકરણના દાવાને ખોટા ગણાવ્યા અને કહ્યું છે કે આ દાવો ખોટો છે. કેટલાક એવા વિભાગ છે જ્યાં પબ્લિક- પ્રાઈવેટ પાર્ટનરશીપ પર કામ થઈ રહ્યું છે. પરંતુ નિયંત્રણ હજુ પણ રેલ્વે મંત્રાલયની પાસે છે. ઉલ્લેખનીય છે કે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ન્યૂઝ ખોટા છે.