એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે 12માં ધોરણમાં ગણિત, ફિઝિક્સ તથા કેમેસ્ટ્રીના વિષય ફરજિયાત નહીં.
એન્જિનિયરિંગ માટે ગણિત, ફિઝિક્સ તથા કેમેસ્ટ્રીના વિષય ફરજિયાત નહીં
AICTEએ લીધો મહત્વનો નિર્ણય
14 વિષયોની યાદીમાંથી 3 વિષયોમાં પાસ થવું ફરજિયાત
એન્જિનિયરિંગ માટે ગણિત, ફિઝિક્સ તથા કેમેસ્ટ્રીના વિષય ફરજિયાત નહીં
All India Council for Technical Education (AICTE)એ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે 12માં ધોરણમાં ગણિત, ફિઝિક્સ તથા કેમેસ્ટ્રીના વિષયના ફરજિયાતની વ્યાખ્યામાંથી બહાર કરી દીધુ છે. AICTEએ એન્જિનિયરિંગના અધ્યયન માટે લેવામાં આવેલા નિયમોમાં સંશોધન કરતા 12માં ધોરણમાં ગણિત, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના વિષયના જરુરિયાતપણાને ખતમ કરી નાંખ્યું છે. આ નિર્ણય વિવિધ બેગ્રાઉન્ડથી એન્જિનિરિંગ અભ્યાસ માટે આવનાર વિદ્યાર્થીઓને રાહત આપવા માટે લેવામાં આવ્યો છે.
14 વિષયોની યાદીમાંથી 3 વિષયોમાં પાસ થવું ફરજિયાત
હકિકતમાં આ વર્ષે જે વિદ્યાર્થીઓએ 12માં ધોરણમાં કેમેસ્ટ્રી, ગણિત તથા ફિઝિક્સનો અભ્યાસ ન કર્યો હોય તે પણ એન્જિનિયર બનવાના સપના પૂરા કરી શકે છે. વિદ્યાર્થીઓને AICTEના સંશોધિત નિયમો અનુસાર એન્જિનિયરિંગના ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અપ્લાય કરવા સક્ષમ હોવા માટે 12માં ધોરણમાં ઓછામાં ઓછા 45 ટકાની જરુર રહેશે અને 14 વિષયોની યાદીમાંથી 3 વિષયોમાં પાસ થવું ફરજિયાત છે. સંશોધિત નિયમોમાં ટેક્નોલોજી નિયામકે 14 વિષયોમાં કેમેસ્ટ્રી સાયન્સ, ગણિત, ફિઝિક્સ, કોમ્પ્યુટર વિજ્ઞાન, ઈલેક્ટ્રોનિક્સ માહિતી એન્ડ ટેક્નોલોજી, જીવ વિજ્ઞાન, ઈનફોર્મેટિક્સ પ્રેક્ટિસ, જૈવ પ્રોદ્યોગિકી, ટેક્નીકી વ્યાવસાયિક વિષય, એન્જિનિયરિંગ ગ્રાફિક્સ, વ્યાવસાયિક અધ્યયન, એન્ત્રપ્રિન્યોરશિપ વિષયોની યાદી સામેલ છે.
વિવિધ બેગ્રાઉન્ડના વિદ્યાર્થી પણ એન્જિનિયરિંગ કોર્ષમાં દાખલ થઈ શકશે
વિવિધ બેગ્રાઉન્ડથી આવનારા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીના ઉપયુક્ત પાઠ્યક્રમ જેવા કે ગણિત, ફિઝિક્સ, એન્જિનિયરિંગ, ડ્રોઈંગ વગેરે રજુ કરશે. અત્યાર સુધી બીઈ, બીટેક અભ્યાસક્રમોમાં એડમિશન માટે 12માં ધોરણના સ્નાતક કોર્ષો તથા ટેક્નોલોજી કોલેજોમાં દાખલ કરેલા ધો 12માં ગણિત અને ભૌતિક વિષય ફરજિયાત નહી રહે. શૈક્ષણિક વર્ષ 2020-21થી વિવિધ બેગ્રાઉન્ડના વિદ્યાર્થી પણ એન્જિનિયરિંગ કોર્ષમાં દાખલ થઈ શકશે.