KGBV ભાટિયા બંધ કરવાનો નિર્ણય અને ઉપવાસ આંદોલન
જિલ્લામાં શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓના રાજકારણના કારણે કોરોનાનું બહાનું આગળ કરી KGBV ભાટિયા બંધ કરવાનો જિલ્લા શિક્ષણ અધિકારીએ નિર્ણય કર્યો અને દીકરીઓ ઉપવાસ આંદોલનમાં બેઠી સતત 17 દિવસ ઉપવાસ આંદોલન પછી સરકારના અધિકારીઓ અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, ભાજપના આગેવાનો એ આવી દીકરીઓને આશ્વાસન આપ્યું કે તમારી KGBV પૂર્વવત ચાલુ થઈ જશે. દીકરીઓ વિશ્વાસ માં આવી પારણાં કરી લીધા આંદોલન સમેટાઈ ગયું.
આંદોલન પછી શું થયું
આંદોલન પૂર્ણ થતાં વાયદાઓ કરનાર, વચન આપનાર અધિકારીઓ અને પદાધિકારીઓ બધું ભૂલી ગયા એક દોઢ મહિનો વીતવા છતાં શાળા ચાલુ ન થઈ વળી ફરીથી લડત કરવાની તૈયારીઓ ગાંધીનગર શિક્ષણ સચિવ, શિક્ષણ મંત્રી સુધી રજુઆતના દોર બાદ શાળા ચાલુ તો કરી પણ દીકરીઓને હેરાનગતિ વધી ગઈ.
તમે આંદોલનકારી છો જાઓ બળતણ લઈ આવો, રસોઈ કરો, વાસણ સાફ કરો
શાળા ચાલુ થતા હોસ્ટેલના વોર્ડન અને કેર ટેકર કર્મચારીઓ દીકરીઓને હેરાન કરવાનું ચાલુ કર્યું જે સહન ન થાય વર્ણન ન થાય એવી હેરાનગતિ.તમે જ આ વીડિયોમાં દિકરોના મુખેથી જ સાંભળો દીકરીઓ શું કહે છે.
દીકરીનો વાંક કે ગુનો શું? પોતાના હક્ક માટે ઉપવાસ આંદોલન કર્યું એ?
જિલ્લાના શિક્ષણ વિભાગમાં અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે રાજકારણ થયું જે KGBV ભાટિયા ગુજરાતમાં 4 નંબરની શાળા હતી, જે શાળાના અનેક વખતના ઇન્સ્પેકસનમાં એકપણ ભૂલ ન મળે, 15 ઓગષ્ટ હોય, 26 મી જાન્યુઆરી હોય, ખેલ મહાકુંભ હોય, વકૃત્વ સ્પર્ધા કે કોઈપણ હરીફાઈમાં અવલ્લ નંબર રહેતી KGBV ભાટિયાની દીકરીઓના આ પ્રદર્શન પર કોઈક નીચ માણસની નજર લાગી એણે આ દીકરીઓને ટ્રેઇન કરનાર એ શાળાના સંચાલકને પહેલા બદલી કરવી, પછી શાળા બંધ કરવી અને જે દીકરીઓએ શાળા ચાલુ કરવા માટે આંદોલન કર્યું, ફરીથી શાળા ચાલુ કરાવી તો આંદોલકારી છો એમ કહીને હેરાન કરવામાં આવે, રાત્રે હોસ્ટેલથી બહાર મોકલવામાં આવે, દિકરીઓ પાસે રસોઈ કરાવવામાં આવે, ટાઈમ પર જમવા આપવામાં ન આવે મતલબ KGBV બંધ કરાવવા માટે બધું જ કરી છૂટવાના ત્રાગા કરી, દીકરીઓને શારીરિક માનસિક ત્રાસ આપી અભ્યાસ થી વંચિત કરવામાં આવી રહ્યા છે
વિદ્યાર્થિનીઓના ભવિષ્ય સામે કેમ સરકારી વિદ્યાલયમાં હેરાનગતિ ?
વિદ્યાર્થિનીઓએ કેટલું અધટીત પગલા લીધા તો જવાબદાર કોણ ?
જવાબદાર સામે નિર્ણાયક કાર્યવાહી થશે ?
KGBV શું છે?
KGBV (કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય) માં પ્રવેશ કોને મળે.એ સમજવું ખૂબ જ જરૂરી છે KGBV એ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી સંસ્થા છે એમાં પ્રવેશ એવી બાળકીઓને મળે છે જેના માતા પિતા હયાત ન હોય, જેના માતા કે પિતા બન્નેમાંથી એક હયાત ન હોય, જે દીકરીઓ ડ્રોપ આઉટ હોય એટલે કે અભ્યાસ કરતા કરતા વચ્ચેથી કોઈપણ કારણે અભ્યાસ છોડી દે તેને ફરીથી અભ્યાસ કરાવવા માટે એમને પ્રવેશ આપવામાં આવે છે અને ત્રીજી પાત્રતા જેના માતા પિતા BPL કાર્ડ ધારક હોય.
જવાબદાર સામે પગલાં લેવામાં રાજકિય વગ નડશે?
ભાજપના જે આગેવાનો દિકરીઓને પારણાં કરાવવા ગયા હતા.જેઓએ કહ્યું હતું કે જો તમારી KGBV પહેલા હતી એ જ રીતે ચાલુ ન થાય તો અમે તમને ક્યારેય મોઢું નહિ બતાવીએ એવા આગેવાનોએ મોઢું કાળું કરી જિલ્લામાં ફરવું જોઈએ અને લોકો પૂછે તો કહેવું જોઈએ કે અમારી સરકારમાં પણ અમે અમારી દીકરીઓ માટે કંઈ કરી શકતા નથી અમારું ચાલતું નથી અથવા તો એણે લાગુ પડતા(દીકરીઓના દુશ્મન) કર્મચારીઓ અધિકારીઓને યોગ્ય કરવા આદેશ આપવા જોઈએ જો અધિકારીઓ તેમ છતાં ન સમજે તો એમને કારણ દર્શક નોટિસ આપવી જોઈએ પણ દીકરીઓને ઠાલા વચનો આપી પોતાના રાજકિય રોટલા ન શેકવા જોઈએ.