દિલ્લી-લખનૌ રેલમાર્ગ પર ચાલનારી પહેલી પ્રાઈવેટ ટ્રેન દિલ્લી લખનૌ તેજસ એક્સપ્રેસના ઉદ્ધાટન બાદ હવે બીજી ટ્રેન મુંબઈથી અમદાવાદ તેજસ એક્સપ્રેસનું ઉદ્ધાટન થશે. રેલમંત્રી આવતી કાલે આ ટ્રેનનું ઉદઘાટન કરશે. તેમણે હાલમાં જ આ ટ્રેનની તસવીરો પણ શેર કરી છે.
મુંબઈ અમદાવાદની વચ્ચે ચાલતી આ ટ્રેન ખાલી વડોદરા અને સુરત જ ઉભી રહેશે
રેલ્વે કાઉન્ટરથી આ ટ્રેનની ટીકીટ મળતી નથી
યાત્રા દરમિયાન સામાન ચોરી થઇ જાય તો એક લાખ રૂપિયા સુધી વળતર આપવામાં આવશે
રેલમંત્રી પિયૂષ ગોયલ અત્યાધુનિક ટ્રેનના ફોટો પોતાના ટ્વીટર પર શેયર કર્યો છે અને તેમણે લખ્યું કે, ઉદ્ધાટન થનારી મુંબઈ અમદાવાદ તેજસ એક્સપ્રેસની પહેલી તસવીર.
પારંપરિક વેશભૂષામાં આ ટ્રેનના સભ્યો લોકોને તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. જેમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી પણ દેખાશે.'
સરકારે રેલવેના સ્તરમાં સુધારો કરવા 50 સ્ટેશનનોને વિશ્વસ્તરીય બનાવવા માટે પ્રાઈવેટ કંપનીઓને કામ આપ્યું છે. આવી 150 રેલનું કોન્ટ્રેક્ટ પ્રાઈવેટ કંપનીઓને આપવામાં આવશે તેજસ પણ એમાંની જ એક છે. મુંબઈ અમદાવાદની વચ્ચે ચાલતી આ ટ્રેન ખાલી વડોદરા અને સુરત જ ઉભી રહેશે.
તેજસ ટ્રેનની ટીકીટ બુકિંગ તમે વેબસાઈટ અથવા મોબાઈલ એપ થી પણ કરી શકો છો. રેલ્વે કાઉન્ટરથી આ ટ્રેનની ટીકીટ મળતી નથી. આ ટ્રેન યાત્રિયોને 25 લાખ રૂપિયાનું વીમા કવર પણ કરી આપશે. યાત્રા દરમિયાન સામાન ચોરી થઇ જાય તો એક લાખ રૂપિયા સુધી વળતર આપવામાં આવશે.
અમદાવાદથી પહેલી ટ્રેન સવારે 6 10 રવાના થશે અને 1 10 કલાકે તે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. જયારે ત્યાથી પરત 3 40 નિકળશે અને રાત્રે 9 55 અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને પરત ફરશે. આમ આ ટ્રેન અત્યાધુનિક અને ફાસ્ટ રીતે યાત્રાળુઓને અવર જવર કરાવશે. આ યાત્રામાં લોકોને મનોરંજનને લઈને ફ્રી વાઈફાઈ, CCTV કેમેરા, કોફી મશીન અને LED સ્ક્રીન જેવી સુવિધા રાખવામાં આવી છે.