કેન્દ્ર સરકારે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના કારનામાઓને હવે નોટિસબોર્ડ ઉપર લગાવવાનો અને સોશ્યલ મીડિયા ઉપર શેર કરવાનો આદેશ આપ્યો છે.
હવે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના કારનામાઓને પોલીસ સ્ટેશનના નોટિસબોર્ડ ઉપર લગાવવામાં આવશે અને તેને સોશ્યલ મીડિયા ઉપર શેર કરવામાં આવશે.
ગૃહ વિભાગે તમામ DGPને આદેશ આપ્યો છે કે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના ફોટોગ્રાફ અને તેમણે આચરેલી ગેરરીતિની વિગતો પોલીસ સ્ટેશનના નોટિસબોર્ડ ઉપર અને સોશ્યલ મીડિયા ઉપર શેર કરવામાં આવે. આ ફક્ત નીચલા લેવલના અધિકારીઓ માટે નહીં IPS સહિતના અધિકારીઓ માટે લાગુ પડશે.
મળતી માહિતી પ્રમાણે સરકારે પોલીસના વિજિલન્સ વિભાગને લાંચિયા અધિકારીઓ સામે લગામ કસવાની સૂચના આપી છે. એક સિનિયર IPS અધિકારીનું માનવામાં આવે તો પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર પાછળનું મુખ્ય કારણ પોલીસ જવાનોની તંગી, ડ્યુટીને લીધે રહેતો તણાવ અને ફોર્સથી વંચિત રહેવાની લાગણી છે.