તિથલ બીચના દરિયા કિનારેથી ગણેશજીની પ્રાચીન પ્રતિમા મળી આવી છે. ત્યારે મળી આવેલ ગણેશજીની પ્રતિમા 80 કિલોનુ વજન ધરાવે છે. પથ્થરમાં કોતરેલી ગણેશજીની પ્રતિમા દરિયામાંથી મળતા કુતુહલ સર્જાયું હતું.
તિથલ બીચ ના દરિયા કિનારેથી મળી ગણેશજીની પ્રાચીન પ્રતિમા
80 કિલોનુ વજન ધરાવતી ભગવાન ગણેશની પ્રતિમા મળી આવી
ગણેશજીની પ્રતિમાને તિથલ ગામમાં જ રાખવાની સ્થાનિકોની લાગણી
તિથલ બીચના દરિયા કિનારેથી મળી ગણેશજીની પ્રાચીન પ્રતિમા મળી આવી છે. ત્યારે આ પ્રતિમા 80 કિલોનું વજન ધરાવતી ભગવાન ગણેશજીની પ્રતિમા મળી આવી છે. પ્રાચીન પ્રતિકૃતિ હોય તેવી દેખાઈ રહી છે ગણેશજીની પ્રતિમા. પથ્થરમાં કોતરેલી ગણેશજીની પ્રતિમાં દરિયામાંથી મળતા કુતુહલ સર્જાયું છે. ગણેશજીની પ્રતિમાને તિથલ ગ્રામમાં જ રાખવીની સ્થાનિકોની લાગણી છે. આ પ્રતિમા તણાઈને આવી કે પછી કોઈ મુકી ગયું? તેમજ કઈ રીતે આ પ્રતિમા આવી તેને લઈને પણ અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.
વર્ષો જુની ગણપતિજીની પ્રતિમા દરિયામાંથી મળી આવી
આ બાબતે સ્થાનિકે જણાવ્યું હતું કે આ પ્રતિમા જુની પુરાણી છે. ત્યારે મળી આવેલ પ્રતિમાની બનાવટ ખૂબ જ સરસ છે. આ પ્રતિમા જે બનાવટ છે. તે હાલનાં કારીગરોથી બની પણ ન શકે. મનોજ ભાઈ નામનાં વ્યક્તિ દરિયા પર ફરવા આવ્યા હતા. ત્યારે તેઓને આ પ્રતિમા દેખાઈ. ત્યારે તેઓએ આજુબાજુનાં મિત્ર મંડળને જાણ કરતા મિત્રો તરત જ દરિયા કિનારે આવી ગયા હતા. ત્યાર બાદ પ્રતિમાને બહાર કાઢીને જોતા ગણપતિ બાપાની પ્રતિમા હોવાનું માલુમ પડ્યું હતું. આ પ્રતિમા બાબતે જે તે વિભાગના અધિકારીને ટેલીફોનિક જાણ કરવામાં આવી છે.