બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 11:22 PM, 16 June 2025
1/6
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ચાલને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ગ્રહ-નક્ષત્રોની ચાલનો તમામ 12 રાશિઓ પર પ્રભાવ પડે છે. ગ્રહોની ચાલથી કેટલીક રાશિઓને શુભ ફળ મળે છે તો કેટલીક રાશિઓને અશુભ ફળ મળે છે. ગ્રહોની ચાલ પરથી જ સાપ્તાહિક રાશિફળનો અંદાજ લગાવવામાં આવે છે. ગ્રહોની ચાલ અનુસાર આ સપ્તાહ દરમિયાન કેટલીક રાશિઓ માટે સમય ખૂબ જ શુભ રહેવાનો છે. આવો જાણીએ કે કઈ રાશિઓ માટે આ સમય શુભ રહેશે?
2/6
મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ શુભ રહેશે. આ દરમિયાન તમને આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળશે. ધનની આવકના નવા માર્ગો ખુલશે. નોકરીની શોધ પૂરી થશે. કારકિર્દીની અડચણો દૂર થશે. ભૌતિક સુખસુવિધામાં વધારો થશે. વેપારમાં વૃદ્ધિના નવા અવસરો મળશે. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે. લાંબા સમયથી અટકેલા કાર્યો સફળ થશે. ધન-સંપત્તિમાં વધારો થવાના યોગ છે. ધાર્મિક કાર્યોમાં વધીને ભાગ લેશો.
3/6
મિથુન રાશિના જાતકોને શુભ સમાચાર મળશે. સુખ-સૌભાગ્યમાં વધારો થશે. કારકિર્દીમાં ઘણી મોટી સફળતા મળશે. સામાજિક પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આવકના નવા સ્ત્રોત બનશે. જમીન અથવા વાહનની ખરીદીના યોગ છે. સંતાન તરફથી શુભ સમાચાર મળશે. નોકરીમાં પ્રવૃત્ત લોકો માટે પ્રમોશન અથવા ઇન્ક્રિમેન્ટના ચાન્સ વધશે. વેપાર સ્થિર અને મજબૂત બનશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. આધ્યાત્મમાં મન લાગશે. પારિવારિક જીવનમાં ખુશહાલીનો માહોલ રહેશે.
4/6
આ સપ્તાહ સિંહ રાશિના જાતકો માટે શુભ રહેવાનો છે. આ સમયગાળામાં તમને નસીબનો પૂરતો સાથ મળશે. આવકમાં વધારો થશે. અચાનક ધનલાભના પ્રબળ યોગ છે. શૈક્ષણિક કાર્યોમાં વિશેષ સફળતા મળશે. કારકિર્દીની અટકેલ મુશ્કેલીઓ દૂર થશે. નોકરી અને વ્યવસાયમાં સારી પ્રગતિ થશે. પરિવારજીવન સુખમય રહેશે. પ્રેમસંબંધોમાં મધુરતા આવશે. સંબંધોની ખટાશ દૂર થશે. જીવનસાથીનો સહયોગ મળશે. માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. જીવન સુખસુવિધાઓ સાથે પસાર કરશો.
5/6
આ સપ્તાહમાં ધન રાશિવાળાની કિસ્મત ચમકી શકે છે. આ દરમિયાન તમારું દરેક કાર્ય વિઘ્ન વિના સફળ થશે. કારકિર્દી સાથે સંબંધિત શુભ સમાચાર મળશે. ધન-સંપત્તિમાં વધારો થશે. તંદુરસ્તીમાં સુધારો આવશે. આર્થિક મુશ્કેલીઓમાંથી છૂટકારો મળશે. પરિવાર જીવનની સમસ્યાઓ દૂર થશે. જૂના રોકાણોથી ધનલાભ થશે. કારકિર્દીમાં મોટી સફળતા મળશે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. ધાર્મિક સ્થળની યાત્રાના યોગ છે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ