બોલિવુડના દિગ્ગજ સ્ટાર રિષિ કપૂરનું 30 એપ્રિલના રોજ નિધન થયુ. રિષિ કપૂરના નિધનના 3 દિવસ પછી પત્ની નીતૂ કપૂર અને દિકરા રણબીર અને દિકરી રિદ્ઘિમાએ તેમની શાંતિ માટે પ્રાર્થના સભા યોજી હતી. મુંબઈના બાંદ્રા માં પાલી હીલ ખાતેના
રિશી કપૂરના ઘરમાં પ્રાર્થના સભાનું આયોજન કર્યુ હતુ.
રિષિ કપૂરની પ્રાર્થના સભાનો ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં રિષિ કપૂરની ફોટોને હાર પહેરાવ્યો છે અને પાસે ફૂલો મૂકવમાં આવ્યા છે તેમજ દીવો અને અગરબત્તી કરવામાં આવ્યા છે. સ્વ. રિષિ કપૂરની ફોટો પાસે રણબીર કપૂર અને નીતૂ કપૂર બેઠા છે. નીતૂ કપૂરે સફેદ ડ્રેસ પહેર્યો છે તો રણબીરે કુર્તો અને પાઘડી પહેર્યા છે. માત્ર પરિવારની હાજરીમાં જ રિષિ કપૂરની પ્રાર્થના સભા યોજવામાં આવી હતી.
રિષિ કપૂરની અંતિમ વિધિમાં તેમની દિકરી રિદ્ઘિમા લોકડાઉનને કારણે હાજર રહી શકી ન હતી. દિલ્હી કોર્પોરેશન દ્વારા રિદ્ઘિમાને મંજૂરી મળતા તે અંદાજે 36 કલાકમાં દિલ્હીથી મુંબઈ 1400 કિલોમીટરનો સફર કરીને શનિવારે મોડી રાત્રે બાય રોડ પહોંચી હતી. રિદ્ઘિમા તેની દીકરી સમારા સાથે મુંબઈ આવી છે. અંતિમ વિધિ સમયે આલિયા ભટ્ટ રિદ્ઘિમા સાથે સતત વીડિયો કોલ દ્વારા સંપર્કમાં હતી. પરિવારના અન્ય સભ્યોની સાથે અભિષેક બચ્ચન પણ આ વિધિમાં સામેલ હતો.
બે વર્ષ કેન્સર સામે લડ્યા બાદ રિશી કપૂરે 30 એપ્રિલે મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ચંદનવાડી સ્માશાનગૃહ ખાતને ગુરુવારે સાંજે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ અંતિમ વિધિમાં પરિવારના અન્ય સભ્યોની સાથે અભિષેક બચ્ચન પણ આ વિધિમાં સામેલ હતો.