દેશની પહેલી પ્રાઈવેટ પ્લેયર ઓપરેટેડ ટ્રેન તેજસ એક્સપ્રેસને ભારતીય રેલવે (IRCTC)એ બંધ કરવાનો પ્લાન કરી દીધો છે. IRCTCએ લખનૌથી નવી દિલ્હીની વચ્ચે ચલાવવામાં આવી રહેલી તેજસ એક્સપ્રેસ(82501/82502) ની સર્વિસને 23 નવેમ્બર 2020થી બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે અમદાવાદથી મુંબઈની વચ્ચે ચલાવવામાં આવી રહેલી (82901/82902) તેજસ એક્સપ્રેસની સર્વિસને 24 નવેમ્બર 2020 સુધી બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
તેજસ એક્સપ્રેસની સર્વિસને હાલમાં બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું
ત્યારે આ ટ્રેન 25થી 40 ટકા ભરાતી હતી
IRCTC બે પ્રકારના પેકેજ ઓફર કરશે
મળતી માહિતી મુજબ કોરોના કાળમાં તેજસ એક્સપ્રેસને પ્રવાસીઓ મળતા નહોવાથી IRCTCએ ટ્રેનને કેન્સલ કરવાનું એલાન કર્યુ હતું. IRCTCના પ્રવક્તા સિદ્ધાર્થ સિંહના જણાવ્યાનુંસાર તેજસ એક્સપ્રેસની સર્વિસને હાલમાં બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. પરંતુ પરિસ્થિતિ સામાન્ય થતા આ ટ્રનોની સર્વિસ ફરી શરુ કરવામાં આવશે.
કોરોના અને લોકડાઉનને કારણે લગભગ 7 મહિના સુધી ટ્રેન સર્વિસ રદ્દ થયા બાદ 17 ઓક્ટોબરે મુંબઈ અમદાવાદની વચ્ચે આને ફરી શરુ કરવામાં આવી હતી. આ ટ્રેનોમાં કુલ 736 સીટો છે. કોરોનામાં ટ્રેનો 50થી 80 ટકા ભરાઈને ચાલતી હતી. ત્યારે આ ટ્રેન 25થી 40 ટકા ભરાતી હતી.
જોકે તેજસ એક્સપ્રેસ પ્રત્યે પ્રવાસીઓને આકર્ષવા માટે IRCTC અમદાવાદ અને મુંબઈની વચ્ચે ચાલતી તેજસમાં ટુર પેકેજનું એલાન કરી શકે છે. IRCTCના પશ્ચિમ ઝોનનાં જનરલ મેનેજર રાહુલ હિમાલયાનના જણાવ્યાનુંસાર આ ટુર પેકેજના રેટનું એલાન ડિસેમ્બરમાં કરવામાં આવશે. આ પેકેજ માટે એક પ્રવાસીએ લગભગ 2 હજાર રુપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે. IRCTC બે પ્રકારના પેકેજ ઓફર કરશે. જેમાં ટુર પેકેજ અને બીજું 4 રાત અને 5 દિવસનું રહેશે. આ ટુર પેકેજમાં પ્રવાસીઓને વડોદરા અને અમદાવાદની ઐતિહાસિક અને સાસ્કૃતિક જગ્યાઓ પર ફરવા લઈ જવામાં આવશે. આ પેકેજમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી બતાવવામાં આવશે.